SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જીજે ભવઃ મરીચિની કથા સાથ નથી આપી શકતું. એક વખત ઉનાળાને સખત તાપ પડતો હતો, તે વખતે ઉઘાડે પગે પરસેવાના રેલા તથા તરસને ત્રાસ વેઠતાં વેઠતાં મુસાફરી કરતા મરીચિનું શરીર ભાગી પડયું. ઋષભદેવજી તે આંતરિક ધ્યાનમાં જ મસ્ત હેવાથી તેમને બાહ્ય સુખદુઃખ સ્પર્શી શક્તાં નહોતાં. પરંતુ જેને આંતરિક સુખ કે બળ પ્રાપ્ત ન થયું હોય, તે માણસ બાહ્ય શારીરિક કષ્ટમાં પેલા મહાપુરુષોની સરસાઈ કક્યાં સુધી કરી શકે? અને એમ કરવામાં ફાયદો પણ કેટલો? તેમ છતાં મરીચિ પિતાનાં વ્રતને સદંતર ત્યાગ કરવા જેટલો હારી બેઠે ન હતો. તેને તો શારીરિક કષ્ટની માત્રા જ કાંઈક હળવી કરવી હતી. તેથી તેણે પગે જેડા પહેરવાનું, માથે છત્ર રાખવાનું, વાળ ઉપાડાવી નાખવાને બદલે મુંડન કરાવવાનું કે શિખા-જટા રાખવાનું, સ્નાનાદિ કેટલાક શારીરિક સંસ્કાર કરવાનું, તથા તરસ લાગે ત્યારે ઉષ્ણુદિ પાણીનો નિયમ છેડી શીતળ પાણી પીવાનું શરૂ કરી દીધું. કથાકાર સુંદર ઉàક્ષાઓ કરીને કહે છે કે, ઋષભદેવ તો મેહરૂપી આચ્છાદનથી રહિત હતા, પરંતુ મરીચિએ પોતાની મેહાચ્છતા જાહેર કરવા જાણે માથે આચ્છાદન–છત્ર ધારણ કર્યું; કષભદેવ તો શીલાદિ ગુણે વડે શુદ્ધ તથા સુગંધી હતા, પરંતુ મરીચિએ તે બાબતની પિતાની અશુદ્ધિ તથા દુર્ગધ ઢાંકવાને અર્થે જાણે સ્નાનાદિ શુદ્ધિ તથા ચંદનાદિના તિલકને સુગંધ અંગીકાર કર્યો; ઋષભદેવ કષાય (મલિનતા) માત્રથી રહિત હોવાથી સફેદ વસ્ત્ર જ ધારણ કરતા હતા, પરંતુ મરીચિએ તે પોતાના કષાય જાહેર કરવા સારુ જ જાણે કષાય (ભગવાં વસ્ત્ર ધારણ કરવા માંડ્યાં; તેમજ ઋષભદેવ મન-વાણુ-કાયાના દંડ (પાપ)થી રહિત હતા, પરંતુ મરીચિ પિતાની તે ત્રિદંડસહિતતા જાહેર કરવા જ જાણે ત્રિદંડનું ચિહ ધારણ કરવા લાગ્યો. આટલું કરવા છતાં તે રહ્યો તે ઋષભદેવની સાથે જ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy