SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા ઉપરાંત બીજી બાબતમાં તેનું વ્રત પાલન ચાલુ જ હતું. તેથી ઘણા માણસ તેની પાસેથી ધર્મોપદેશ સાંભળી તેની પાસે દીક્ષા લેવા તત્પર થતા. પરંતુ તે વખતે તે જાતે દીક્ષા ન આપતાં તે બધાને ઋષભદેવજી પાસે જ મોકલી આપતો; અને કહેતો કે, “હું તે મારા દેષોને લીધે ધર્મ અનુસાર સંપૂર્ણ આચરણ કરવાને અશક્ત છું; એટલે મારી પાસે સંપૂર્ણ ધર્મની દીક્ષા લેવાની ન હોય. તમારે દીક્ષા લેવી હોય, તો તે ધર્મ સારથિ ઋષભદેવજી પાસે જ જાઓ. અલબત્ત, જેમ રોગગ્રસ્ત વૈદ્ય આપેલા પરમ ઔષધથી બીજા રોગીનો રોગ મટવામાં કાંઈ વાંધો નથી આવતો, તેમ મારા જેવા અપૂર્ણ માણસને મુખે પણ સંપૂર્ણ ધર્મનું વર્ણનમાત્ર સાંભળી, તે માટે તમે ઉન્મુખ થાઓ તેમાં કશું ખોટું નથી, પરંતુ દીક્ષા તે તે ધર્મનું યથાવત પાલન કરનાર જ આપી શકે. એક વખત બાષભદેવ ગામ-પરગામ ફરતા ફરતા અયોધ્યા નગરી તરફ જ આવી પહોંચ્યા. તેમને આવેલા જાણી ભરત રાજા વગેરે સૌ અયોધ્યામાંથી નીકળી તેમનાં દર્શને આવ્યા. ઋષભદેવે ભેગા મળેલા સૌને ધર્મોપદેશ આપ્યો. ભરતને તે સાંભળી તેમના પ્રત્યે ભક્તિભાવ ઊભરાઈ આવ્યો. તેણે ગદગદ થઈને ઋષભદેવની સ્તુતિ કરતાં કહ્યું, “હે ભગવન! આપના જેવા સંતપુરુષો અજ્ઞાનાંધકારમાં મૂઢ બનેલા જગતને દીપક સમાન છે. આપ જ્યારે જ્યારે આ તરફ પધારે છે, ત્યારે ત્યારે મારી પ્રમાદનિકા દૂર થઈ જાય છે. સૂર્ય જેમ વારંવાર પૃથ્વી ઉપર ફેલાતા અંધકારને દૂર કરવા વારંવાર ગમનાગમન કરે છે, તેવું જ આપનું આવવું-જવું પણ છે. પથ્થરની પેઠે જામી ગયેલું ઘી પણ જેમ અગ્નના સંસર્ગમાં ઓગળી જાય છે, તેમ આપ જેવા સંતોના સંગમાં અમારાં લાખો જન્મનાં ઘનીભૂત કર્મો પણ ઓગળી જવા માંડે છે. હે પ્રભુ! આ સમયને ધન્ય છે કે, તેમાં આપ જેવા પુરુષને સહવાસ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy