SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા તે જ અરસામાં અચાનક ખબર આવી કે, ઋષભદેવજી શકટમુખ ઉદ્યાનમાં અત્યારે પધારેલા છે. તે સાંભળી ભરત તરત મરુદેવામાતાને હાથી ઉપર સાથે બેસાડી, ધામધૂમથી ઋષભદેવનાં દર્શને જવા નીકળ્યા. ત્યાં પહેાંચતાં જ, હાથી ઉપર રહ્યાં રહ્યાં ઋષભદેવની કેવલજ્ઞાનથી પ્રદીપ્ત અને શાંત મૂર્તિ ઉપર મરુદેવાની નજર પડતાં, તે આનંદમાં તન્મય થઈ ગયાં, અને આયુષ્ય પૂર્ણ થયું હેાવાથી તે ક્ષણે જ પ્રાણરહિત બની ગયાં. R ભરત વગેરે ત્યારબાદ ઋષભદેવની આસપાસ વીટળાઈ ને ખેડા. ઋષભદેવે તે સૌને યથાચિત ધર્મોપદેશ આપ્યા. મદેવા । સ્ત્રી હતાં, અને માતા હતાં; તા પણ ઋષભદેવે મેળવેલી અનુપમ મુક્તિના દર્શનમાત્રથી જ દેહમુક્ત થઈ ગયાં. તેા પછી આંતરિક મુક્તિની સુવાસથી ભરેલાં ઋષભદેવજીનાં વેણુ ત્યાં ભેગા થયેલા સૌ પ્રતાપી રાજપુરુષા, કુમારા વગેરેનાં હ્રદયને ભેદી નાખે તેમાં શી નવાઈ ભરતના એક પુત્ર ઋષભસેને ત્યાં ને ત્યાં જ સસસાર ધને તાડી નાખીને ઋષભદેવના ચરણુમાં આત્માપણુ કરી દીધું. સાધુસંતના સમાગમના પૂર્વજન્મના સકારાવાળા મરીચિકુમાર પશુ દાદાના જીવનમાંથી તપને નવે! સંસ્કાર પામ્યા તે પણ ધરમાર તજી, દાદાના સાન્નિધ્યમાં રહી, એ તપલક્ષ્મી અનુભવવાને લાખે તેમને અનુમામી ગયા. શરૂશરૂમાં તે મરીચિકુમારે યતિમ ઘણા ઉત્સાહથી પાળવા માંડયો; અને તેમ કરવામાં શરીર રહે કે ન રહે તેની પણ પરવા છેાડી દીધી. મન-વાણી-કાયાને નિગ્રહ કરવામાં, ખેલવા-ચાલવા ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં સાવધાન રહેવામાં, પંચ મહાત્રતાનું યથેાચિત પાશ્ચન કરવામાં, તથા ચારિત્રને ભગ કરનારા દેખેને તજવામાં તેણે ભારે આગ્રહપૂર્વક વર્તવા માંડયુ. પરંતુ ઘણી વાર મનની તૈયારી ગમે તેટલી હેાય છતાં શરીર
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy