SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજે ભવઃ મરીચિની કથા રાજાઓએ પણ તેમનો વિરહ સહન ન થઈ શકે તેમ લાગવાથી, રાજ્ય-પુત્ર વગેરે સર્વસ્વ તજીને દીક્ષા લીધી હતી. પરંતુ તે અરસામાં ઋષભદેવજીની સ્થિતિ અવધૂત જેવી હતી; ભિક્ષા મળે–ન મળે તેની પરવા કર્યા વિના, તે નિરંતર આત્મચિંતનમાં રહી, મૌનપણે વિચર્યા કરતા હતા. પેલા રાજાઓ એ જાતનાં ભૂખતરસનાં કષ્ટો સહન કરવામાં લાંબો વખત નભી શક્યા નહીં. પરંતુ પિતપોતાનાં રાજ્યમાં પાછા જઈ, ફરીથી ગૃહસ્થ બનવાની પણ તેમની મરજી નહોતી. તેથી તેઓએ વનમાં જ રહી, વનફળને આહાર કરી, જે કાંઈ ધર્મસાધન બની શકે તે કરવાનું શરૂ કર્યું. અર્થાત તેઓ વનવાસી, તથા વનફળાદિને આહાર કરનાર તાપસે બન્યા. ઋષભદેવ પિતાની અવધૂતની રીતે જ વિચરતાં વિચરતાં લાંબા સમય બાદ અયોધ્યા નગરીના જ ઉપનગર પુરિમતાલ પાસે આવી પહોંચ્યા. ત્યાંના શકટમુખ નામના ઉદ્યાનમાં તે ચિંતનમાં બેઠા હતા, તેવામાં તેમને ફાગણ માસની કૃષ્ણ એકાદશીને દિવસે (ઉત્તરાષાઢા નક્ષત્ર હતું ત્યારે) પ્રાતઃકાળે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. બન્યું એમ કે, તે જ વખતે પ્રાત:કાળે ભરતરાજા પિતાનાં દાદી અર્થાત્ ઋષભદેવનાં માતા મરુદેવાને નમસ્કાર કરવા ગયો હતો. તે વખતે મરુદેવા પિતાના પુત્ર ઋષભદેવે અંગીકાર કરેલી કઠોર તપસ્યા યાદ કરી કરીને રેતાં હતાં. ભરતને જોતાં તેમનું રુદન વળી વધી ગયું અને ભારતને સંભળાવી સંભળાવીને તે અનેક વાત કહેવા લાગ્યાં. તેમણે જણાવ્યું કે, દીક્ષા લઈને નીકળ્યા પછી ઋષભદેવની કેવી સ્થિતિ છે, તથા તે હાલમાં ક્યાં છે તેની કોઈ ખબર રાખતું નથી. તું તો તારા જ રાજ્યભવમાં મસ્ત રહે છે. પરંતુ એ કામળ શરીરવાળા ઋષભદેવ વનવગડામાં ટાઢતડકે સહન કરતા શું કરે છે, તે જાણવાની તને જરા પણ ક્યાં પડી છે ?
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy