SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ શ્રી મહાવીરકથા થઈ માતા પાસે આવ્યો, અને પિતાના પિતા વિષે સાચી વાત પૂછવા લાગે. નંદાએ તેને બે ની વાત કરી, તથા જણાવ્યું કે, તે કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, તે અમે કોઈ જાણતા નથી. એક દિવસ તેમને શોધતા કેાઈ ઊંટવાળા આવ્યા, તેમની સાથે તે ચાલ્યા ગયા, અને જતી વખતે મને માત્ર આટલી એધાણું આપતા ગયા છે. એમ કહી તેણે પેલી ચિઠ્ઠી અભયકુમારને આપી બુદ્ધિશાળી અભયકુમાર સમજી ગયો કે, આ ચિઠ્ઠીને અર્થ, “હું રાજગૃહને રાજા છું' એવો થાય છે. તેથી તરત તે પિતાની માતાને લઈ પેલી ચિઠ્ઠી સાથે રાજગૃહ આઓ. ત્યાં રાજા થયેલા શ્રેણિકે પોતાના પાંચસે મંત્રોમાં ખૂટતી એક જ પૂરવા માટે કોઈ બુદ્ધિશાળી પુરુષની શોધ કરવા માંડી હતી. તેણે એક સૂકા કૂવામાં પોતાની વીંટી નાખી હતી. તથા જાહેર કર્યું હતું કે, કૂવાને કાંઠે ઊભો રહી, જે પુરુષ એ વીંટી બહાર કાઢશે તેને હું મારા મંત્રીઓને પ્રમુખ બનાવીશ. કેટલાય લેકે એ જગાએ આવી, એ કાર્યને અશક્ય માની હાથ ધસતા પાછા જતા હતા તેવામાં અભયકુમાર પોતાની માને નગરબહાર યોગ્ય સ્થળે મૂકી નગરમાં ફરતે ફરતો ત્યાં આવ્યો. તેણે તરત કાંઠે ઊભા રહી છાણને લચકે તે વીંટી ઉપર નાખ્યો. પછી તેના ઉપર સળગતો ઘાસનો પૂળો નાંખે. એટલે વીંટી સાથે પેલે છાણનો લચકે સુકાઈને એક છાણું બની ગયો. પછી અભયકુમારે પાણીની એક નીક તે કૂવામાં વળાવી દીધી, એટલે કુવામાં પાણું ઊંચું આવવાની સાથે પેલું છાણું પણ ઉપર આવ્યું. તરત તેણે તેમાંથી વીંટી કાઢી લીધી ! રાજાને આ ખબર મળતાં તેણે અભયકુમારને પોતાની પાસે તેડાવ્યો. તેને દેખતાંવેંત જ રાજાને વાત્સલ્યભર્યા ઉમળકા આવવા લાગ્યા. બધી વાત પૂછીને જાણી લીધા બાદ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy