SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહમાં આગમન ર૭ કુળ વિષે મને ખાતરી થઈ ગઈ છે. શ્રેણિક ત્યાર બાદ પિતાની નંદા ભાર્યા સાથે વિવિધ ભોગ ભેગવતે, તે શેઠને ત્યાં જ રહ્યો. આ તરફ શ્રેણિકના પિતા પ્રસેનજિતને અકસ્માત રોગની પીડા થઈ આવી. તેથી ઘણી બેદપૂર્વક તેણે પોતાના પ્રયપુત્ર શ્રેણિકને શોધી લાવવા માણસો સાંઢ ઉપર દેડાવ્યા. શ્રેણિકને એ સાઢવાળા પાસેથી પિતાની આખરી માંદગીની ખબર મળતાં જ, તે તરત શેઠ તથા નંદાની રજા લઈ ચાલી નીકળ્યો. આગળ શું થાય છે તે જાણ્યા વિના પોતાને સાચે પરિચય આ લોકોને આપવો એ તેણે યોગ્ય માન્યું નહીં, તેથી તેણે સગર્ભ નંદાને માત્ર આટલું જ લખી આપ્યું કે, “જેમાં ઉજજવળ ભતે છે, તેવા રાજગૃહ નગરને હું ગોપાળ છું.” તથા કહ્યું કે, આ લખાણ મારી પાસે મોકલીશ એટલે હું ગમે ત્યારે તને કે તારા સંતાનને ઓળખીશ. હાલમાં હું ભારે ધમાલમાં પડવાને છું, એટલે તને યાદ કરી શકું કે મળી શકે તેવી સ્થિતિમાં ઘણે કાળ હઈશ નહીં. ભાગ્યવશાત્ પ્રસેનજિત રાજાને છેલ્લા દિવસમાં શ્રેણિકને ભેટો થયો, અને તેમણે તરત જ શ્રેણિકને રાજ્યાભિષેક કર્યો ૨૪ અભયકુમાર નંદાને સગર્ભાવસ્થામાં હાથી ઉપર ચડી પ્રાણીઓને દાન કરતાં કરતાં અભયદાન આપનારી થવાના કોડ થયા. રાજાની મદદથી શેઠે તે કેડ પૂરા પણ કર્યા. પછી યોગ્યકાળે પુત્રને જન્મ થતાં, શેઠે તેની માતાના દોહદ ઉપરથી તેનું નામ અભયકુમાર પાડયું. તે બહુ બુદ્ધિશાળી નીવડ્યો, અને નાનાપણથી તેની ઊંડી સમજશક્તિ અને તીવ્ર બુદ્ધિશક્તિ બધાંની પ્રશંસાને પાત્ર બની. એક વખત પોતાના બાળમિત્રોને મોંએ પિતાને પિતા છે કે નહીં તે વિષે કટાક્ષયુક્ત વેણ સાંભળતાં, તે ખિન્ન
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy