SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ રાજગૃહમાં આગમન ૨૫ ચાલુ રાખવા લાગ્યું. આ પ્રમાણે પાતે ધરાઈ રહ્યા, ત્યારે જ પેાતાની જગાએથી ઊઠયો. આ જે પ્રસેનજિત ઘણા રાજી થયે, અને તેની ખાતરી થઈ ગઈ કે, આ છેકરા ગમે તે ઉપાય વડે શત્રુઓની વચ્ચેથી પેાતાના મા કાઢી આખું રાજ્ય ભાગવશે. બીજી એક વાર તેણે બધા કુમારાને લાડુ ભરેલા કરડિયા તથા પાણી ભરેલા ધડામાં બંધ કરીને તથા મુદ્રા વડે સીલ કરીને આપ્યા, તથા જણાવ્યું કે, આ સીલ તેડથા વિના તમે તે લાડુ ખાઓ તથા પાણી પીએ. ખીજા કુમારે તેા કાંઈ માગ ન સૂઝવાથી ચાલ્યા ગયા; પરંતુ શ્રેણિકુમારે કરડિયેશ હલાવી-હલાવીને અંદરના લાડુને ચૂરા કરવા માંડી, તથા તે કરડિયાની સળીએનાં છિદ્રોમાંથી જેમ જેમ ગરતા ગયા, તેમ તેમ ખાવા માંડયો, તથા પાણીને ધડેા નવા હેાવાથી તેની નીચે ઝમતું પાણી રૂપાના વાસણમાં એકઠું થવા દઈ પી લીધું. રાજાને આ ઉપરથી તેની બુદ્ધિમત્તાની વિશેષ ખાતરી થઈ. એક વખત કુશાગ્રનગરમાં વારવાર અગ્નિને ઉપદ્રવ થવા માંડયો, કંટાળીને રાજાએ ધેાષણા કરાવી કે, જેના ઘરમાંથી આગ શરૂ થશે, તેને નગરમાંથી બહાર કાઢી મૂકવામાં આવશે. એક વખત રાજાના રસાઇયાની બેદરકારીથી રાજાના મહેલમાં જ આગ શરૂ થઈ. તે વખતે રાજાએ પેાતાના કુમારેને જણાવ્યું કે, જે કુમાર આ મહેલમાંથી જે વસ્તુ ઉપાડી જશે તે તેની થશે. બીજા કુમારેએ પેાતપેાતાને ગમતી મૂલ્યવાન તથા ભાગની ચીજો લીધી, ત્યારે શ્રેણિકકુમારે રાજાના દિગ્વિજયમાં મગળરૂપ જચિહ્ન મનાતું ભંભાવાદ્ય લીધું. રાજા તેની પસંદગી જોઈ વળી વિશેષ ખુશ થયેા, અને તે વખતથી શ્રેણિકનું નામ ભંભાસાર પડયું. ભૌત્ર થેામાં તેનું (બિસાર નામ છે, તે આને મળતું જ છે,
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy