SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ જગૃહમાં આગમન શ્ય બિબિસાર લગ્નસંબંધથી મદ્ર, કેશલ, અને વૈશાલીનાં રાજકુલો સાથે જોડાયો હતો. કોશલ દેશના રાજા પાસેનદિ (પ્રસેનજિત)ની બહેન કોસલદેવી બિંબિસાર વેરે પરણાવવામાં આવી હતી; તેમ જ વૈશાલીના ગણ-રાજા ચેટકની પુત્રી ચલ્લણ પણ બિંબિસારની રાણું હતી. તે ઉપરાંત બિબિસારની મકા રાણુના ઉલ્લેખ ઉપરથી કઈ મદ્દ રાજકન્યા પણ તેની રાણું હોય, એમ જણાય છે. બિંબિસારનો પુત્ર અજાતશત્રુ (ણિક) આ ત્રણ રાણીમાંથી કેને પુત્ર હતા તે વિષે મતભેદ છે. કેટલાક બૌદ્ધ ગ્રંથે (જાતક નં. ૩૩૮, અને નં. ૩૭૩) પ્રમાણે અજાતશત્રુ કાસલદેવીને પુત્ર હતો; પરંતુ બીજા એક બૌદ્ધ ઉલ્લેખ પ્રમાણે અજાતશત્રુની માનું નામ મદ્રા છે. બૌદ્ધ નિકાયગ્રંથ અજાતશત્રુને વંદેહિપુર પણ કહે છે. પરંતુ કેસલ રાજાઓ ઘણીવાર “વિદેહ' પણ કહેવાય છે. જેને લેખકે ચેટકપુત્રી ચેલણાને અજાતશત્રુની મા કરાવે છે. અને વૈશાલીના ગણરાજયમાં વિદેહ દેશને સમાવેશ થતો હોવાથી, મહાવીર તેમજ અજાતશત્રુ બંને વૈદેહીપુત્ર કહેવાય પણ ખરા. આ સ્થિતિમાં અજાતશત્રુની માતા કોણ હતી, તે વિષે ચોકસ કાંઈ કહેવું અશક્ય છે. અજાતશત્રુ પ્રથમ પોતાના પિતાના પ્રતિનિધિ તરીકે ચંપામાં રહેતા હોય તેમ લાગે છે; પછી, પિતાને મારીને તેણે આખું રાજ્ય કબજે કર્યું. અજાતશત્રુએ બિંબિસારને મારી નાખ્યો, એટલે કેસલદેવી શોકની મારી મરી ગઈ. આથી કેસલદેવીના ભાઈ કાસલરાજ પસેનદિએ કાસલદેવીને લગ્ન પ્રસંગે સ્નાન-ચૂર્ણના ખર્ચ પેટે આપવામાં આવેલું કાશીનું એક ગામ – કે જેનો હકદાર હવે ----- --- ૧. Kindred sayings પા. ૩૮. ૨. વેદિક ઇન્ડેકસ. પુ. ૧, પા. ૧૯૦, ૪૯૧; પર આત્મા વૈદેહ પણ કહેવાય છે અને કૌસલ્ય પણ કહેવાય છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy