SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર શ્રી મહાવીર સ્થા અરસપરસ સંશુદ્ધિને માટે પણ આવશ્યક હતી, એ પરિણામે માલુમ પણ પડ્યું છે. અપાપા નગરીમાં ત્યાર પછી પણ કેટલાક દિવસ ભગવાન સ્થિર રહ્યા લાગે છે. ત્યાંને વસવાટ પૂરો કરી ભગવાન ત્યાંથી રાજગૃહ નગરમાં આવ્યા. તે નગર તથા તેના રાજા વિષે પ્રથમ થોડું જાણીએ. ૧૦ શ્રેણિક બિંબિસાર આપણે જે સમયની વાત કરીએ છીએ, તે સમયના અરસામાં એટલે કે, લગભગ ઈ. સ. પૂ. છઠ્ઠા સૈકાના અરસામાં, બાહરથ રાજવંશને-અથાત જરાસંધના બાપના વખતમાં [એટલે કે લગભગ પાંચ-છ સૈકા પહેલાં મગધમાં સ્થાપિત થયેલા રાજવંશનો અંત આવ્યો. તે રાજવંશને અંત કોણે કેવી રીતે આપ્યો એ કહી શકાતું નથી. પરંતુ થોડા સમય બાદ જ, એટલે કે બુદ્ધ-મહાવીરના સમયે મગધમાં બિંબિસાર નામે પ્રતાપી રાજા રાજ્ય કરતે હતો, એટલે આપણે ચેકસ જાણું શકીએ છીએ. અશ્વષ પોતાના બુદ્ધચરિતમાં (૧૧-૨) તેને હર્યક કુલને કહે છે. મહાવંશ (ગ્રીગરનો અનુવાદપા. ૧૨) માં જણાવ્યું છે કે, બિંબિસાર ૧૫ વષને હતા, ત્યારે તેને તેના પિતાએ રાજ્યાભિષેક કર્યો હતો. તેણે પાસેના અંગ દેશ ઉપર ચડાઈ કરી તેના રાજાને મારી નાખ્યો, તથા તેના દેશને મગધમાં જોડી દીધો. ૧. મગધની રાજધાનીનું જનનું નામ ગિરિત્રજ, વસુમતી કે કુશાગ્રપુર પણ હતું. ૨. એમ જણાય છે કે, અંગદેશના રાજા બ્રહ્મદરે બિંબિસારના પિતા ભઢિયને હરાવ્યા. તિબેટી પરંપરામાં તેનું નામ મહાપદ્મ હોય એમ લાગે છે. બદલામાં બિંબિસારે અંગદેશ ઉપર ચડાઈ કરી બ્રહ્મદત્તને મારી નાખ્યો અને પોતે ચંપામાં પોતાના પિતાના પ્રતિનિધિ તરીકે રહ્યો. પછી પિતાનું મૃત્યુ થતાં તે રાજગૃહ ચાલ્યો આ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy