SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ અભિજાર રચિત અરસપરસ ર શ્રી મહાવીર-કથા થનાર – માં એ ગુણે અવશ્ય લેવા જોઈએ, એ તરત જ દેખાઈ આવે તેવું છે. ૧, જ્ઞાનાતિશય – સર્વ સત્ વસ્તુઓનું કેવળજ્ઞાન. ૨. વચનતિશય – સંસ્કારવાન, ઉદાત્ત, અગ્રામ્ય, મેઘગંભીર, પ્રતિધ્વનિયુક્ત, દાક્ષિણયુકત, રાગયુકત, મહાશૃંયુક્ત, પૂર્વીપરવિરોધ રહિત, શિષ્ટ, સંશયરહિત, બીજે માણસ દૂષણ ન દઈ શકે તેવી, હદયંગમ, અરસપરસ પદ તથા વાકાના સાપેક્ષપણવાળી, પ્રસંગોચિત, તત્ત્વનિ, અપ્રાસંગિક બાબતોના અતિ વિસ્તાર રહિત, આત્મશ્લાઘા અને પનિંદા રહિત, અભિજાત, અતિસ્નિગ્ધ તથા મધુર, પ્રશસ્ય, બીજાનાં મર્મ વધે નહીં તેવી, ઉદાર, ધર્મ તેમ જ અર્થ સંયુક્ત, વિભક્તિ-કાળ-વચનલિંગ વગેરેના વિપર્યય રહિત, વિશ્વમાદિ રહિત, ચમત્કૃતિપૂર્ણ, ઉત્સુકતારહિત, અતિવિલંબરહિત, અનેક પ્રકારનાં વર્ણનની વિચિત્રતાયુક્ત, પ્રથમથી જ બીજાનાં વચન કરતાં જેમાં વિશેષતા રહેલી છે તેવી, સત્યપ્રધાન, વર્ણ–પદવાકય યથાર્થ સમજી શકાય તેવાં છૂટાં હોય તેવી, કહેવા ધારેલો અર્થ પૂરે ન થાય ત્યાં સુધી તૂટક ન બનતી, તેમ જ વક્તા અને શ્રતને કંટાળાખેદ ન થાય તેવી વાણું ૩. અપાયાગમાતિશય–એટલે કે ઉપદ્રવનિવારકતા. ૪. પૂજાતિશય ત્રણ લેકના પૂજનીય હેવાપણું. જેને જગતનાં તત્તનું સ્વરૂપજ્ઞાન છે, અને તેથી તે કોના વિવિધ તાપ નિવારવાના ઉપાય જેની પાસે હેઈ, લોકેએ સેવવા– પુજવા યોગ્ય છે, તથા પિતાની વસ્તુ બીજાને સમજાય તેવી સચોટ ભાષામાં કહેવાની જેની પાસે શક્તિ છે, તે ખરેખર લોકનાથ', “લેકમદીપ', “ધર્માદાતા”, “ધર્મદેશક', “ધમ નાયક’ “ધર્મસારથિ'. અને “ધર્મચક્રવતી' કહાવાને યોગ્ય છે. લોકોને તે શરણરૂપ છે, દ્વીપરૂ૫ છે, ત્રાણરૂપ છે, ગતિરૂ૫ છે, તથા પ્રતિષ્ઠારૂપ છે. સર્વ ભને જીતનાર તે જિનને ફરી ફરી નમસ્કાર!
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy