SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ વયપ્રાપ્તિ २२५ અતિશયાની વિગતેનું આપણે કશું પ્રયેાજન નથી. પરંતુ તે ચેાત્રીસ ઉપરાંત અપેક્ષાથી બીજા ચાર અતિશયેા જુદા ગણાવવામાં આવે છે. તે અતિશયા તીથંકરનું સ્વરૂપ સમજવા માટે અગત્યના છે. તીર્થંકર થનાર – લેાકાને ઉપદેશક નેતા મસ્તક પાછળ ઉપદ્રવ ન થાય; છે: જેમકે તે જ્યાં ઉપદેશ આપે, તે સ્થાનમાં અસખ્ય લાકા સમાઈ શકે; તે અમાગધી ભાષામાં ખાલે, પણ સ પ્રાણીઓને પેાતપેાતાની ભાષામાં તે ઉપદેશ સમાય; તેમના સૂર્યબિંબ જેવુ ભાસ'ડળ હોય; તે જે સ્થળમાં વર્તતા હોય ત્યાં સર્વ દિશામાં પચીસ પચીસ યેાજન અને ઊંચે-નીચે સાડાબાર સાડાબાર ચાજન સુધી પ્રથમ થયેલા જ્વરાદ્રિક ગેા નાશ પામે અને નવા ઉત્પન્ન ન થાય; પ્રાણીઓ વચ્ચેનાં સ્વાભાવિક કે પૂર્વજન્મનાં વેર શમી જાય; તીડ—–સૂડા—ઉદર વગેરે જીવજં તુઓના મહામારી–ઉત્પાત-અકાલમૃત્યુ ન થાય; અતિવૃષ્ટિ –અનાવૃષ્ટિ ન થાય; દુકાળ ન પડે; લશ્કરનાં હુલ્લુડ કૅ પરરાજ્ય સાથે સગ્રામાદિના ભય ઢળે. બાકીના ૧૯ અતિશયા દેવતા તીર્થંકરની આસપાસ ફરે છે. જેમકે, તીકરની આગળ આગળ ધર્મચક્ર ફેરવવુ, બંને બાજુ શ્વેત ચામર ચલાવવાં, સ્ફટિકનું સિહાસન સાથે રાખવું, મસ્તક ઉપર ત્રણ છત્ર રાખવાં, રત્નમય ધ્વજ ફરતે રાખવા, ભગવાન પગ મૂકવાના હોય ત્યાં સુવર્ણ કમળ ખડાં કરવાં, તે જ્યાં ઉપદેશ આપે તેની આસપાસ મણ સુવર્ણ’–રૂપાના ગઢ ચી દેવા, પ્રભુનું મુખ એક જ દિશામાં હાય છતાં ચારે દિશામાં બતાવવુ', તે જ્યાં સ્થાન કરે ત્યાં અશાકવૃક્ષ ખડુ કરી દેવું, માર્ગોના કાંટાનાં મુખ નીચાં કરી દેવાં, આસપાસનાં વૃક્ષાને નીચે નમાવી પ્રણામ કરાવવા, દેવદુંદુભિ વગાડયા કરવાં, પવન વડે કચરો સાફ કરાવવા, મેાર-પેપટ વગેરે પક્ષીઓ દ્વારા પ્રદક્ષિણા કરાવવી, ધૂળ શમાવવા ગંધાદકની વૃષ્ટિ કરવી, પછી તેના ઉપર પુષ્પવૃષ્ટિ કરવી, તીર્થંકરનાં કેશ-દાઢી-મૂછ તથા હાથ-પગના નખ વધવા ન દેવા, તેમની તહેનાતમાં ઓછામાં ઓછા કરોડ દેવાએ રહેવું, તથા આસપાસ સર્વ ઋતુએની સમૃદ્ધિ એક સાથે પ્રગટ કરવી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy