SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા પ. તીર્થંકરના અતિશયે મહાવીર હવે તીર્થકર તરીકે વિહાર કરવા લાગ્યા. જન ગ્રંથમાં તીર્થકરોની વિભૂતિનું વર્ણન ઝીણવટથી કરવામાં કરવામાં આવ્યું છે. તે સમજવાથી મહાવીરની કેવી પ્રતિભા હવે પછીની જીવનકથામાં ઝળકી આવવાની છે, તેને પણ ખ્યાલ આવે છે. સામાન્ય કેવળજ્ઞાનીમાં ૨૫ને તીર્થંકર થનાર કેવળજ્ઞાનીમાં ડેક ફેર છે. તીર્થકરને તેમનાં પૂવકર્મને બળે કેટલાક “અતિશયો' પ્રાપ્ત થાય છે. અતિશય” એટલે ગુણની પરાકાષ્ઠા – અસાધારણ ગુણ. તીર્થકર સિવાય બીજા કોઈમાં તે હેય જ નહીં. તે તેમની પૂર્વની પુણ્યપ્રકૃતિનું ફળ છે. સામાન્ય સિદ્ધિઓ – અથવા ચમત્કાર કરવાની શક્તિઓ તો અમુક પ્રકારનાં તપ કરનારને પણ પ્રાપ્ત થાય છે. જૈન પરિભાષામાં તેમને “લબ્ધિ” કહેવામાં આવે છે. તે જેવી કે: રોગ મટાડવાની શક્તિ, પાંચ ઇન્દ્રિયના વિષય ગમે તે એક દિયથી ભોગવવાની શક્તિ, દૂર દૂરનાં સ્થળો સુધી ઝટ જઈ પહોંચવાની શક્તિ, આકાશમાં – જળ ઉપર - અગ્નિમાં કે ધૂમાડાકિરણો-વાયુ-ઝાકળ-મેધ વગેરેનું અવલંબન કરી જવા-આવવાની શક્તિ, સામાને બાળી નાખવાની કે તેની શક્તિને શાંત કરવાની શક્તિ, શરીરને નાનું-મોટું કે હલકું-ભારે કરવાની શક્તિ, તથા વશીકરણ-અંતર્ધાન-કામરૂપપણું વગેરેની શક્તિ. આ બધી લબ્ધિઓ તીર્થકરને પણ જન્મથી જ પ્રાપ્ત હોય છે. પરંતુ માત્ર તીર્થકરને જ પ્રાપ્ત થઈ શકે એવા અતિશયે એ લબ્ધિઓથી જુદી જ વસ્તુ છે. આ ચોત્રીસ ૧. જે ચોત્રીસ અતિશય તીર્થકરને પ્રાપ્ત થતા મનાય છે, તેમાં સ્વરૂપવાન દેહ, સુગધી શ્વાસોશ્વાસ, ગાયના દૂધ જેવાં ઉજજ્વલ રૂધિર-માંસ, અને તેમના આહારનું ચર્મચક્ષુથી અગેચરપણું એવા ચાર અતિશયે તેમને જન્મથી જ સિદ્ધ હોય છે. કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ તેમને બીજા અગિયાર અતિશયો પ્રાપ્ત થાય
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy