SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭ કૈવલ્યપ્રાપ્તિ પરિશિષ્ટ [બુદ્ધને બાધિ પ્રાપ્ત થઈ, ત્યાર બાદ તેમને લાગ્યું કે, જગતના સુખેથી લોકો મારે આ માગ સાંભળશે નહીં તેમજ અનુસરશે નહીં. માટે મારે હવે એકાંતમાં મૌન ધારણ કરી રહેવું જ યોગ્ય થશે. તે વખતે બ્રહ્મદેવે આવી તેમને તેમના વિચારમાંથી કેવી રીતે ફેરવ્યા, તેની કથા નીચે ઉતારી છે.] ત્યારે બ્રહ્મદેવ તરત જ બુદ્ધ સમક્ષ પ્રગટ થયા અને હાથ જોડી બોલ્યાઃ “હે બુદ્ધગુરુ ! તારા અમૃતતુલ્ય ધર્મને લેકેને ઉપદેશ કર. આ જગતમાં જેમનાં જ્ઞાન પર અજ્ઞાનમળનાં પડ ઘટ્ટ બેઠાં નથી એવા પુષ્કળ જ છે. કેવળ તારાં ધર્મવાય તેમના કાને ન પડવાથી તેમને ભારે હાનિ થાય છે. જે તું ઉપદેશ કરીશ, તો તેનું રહસ્ય જાણનાર ઘણા લેક આ જગતમાં મળી આવશે. પર્વતશિખર પર રહી જેમ આપણે નીચેના પ્રદેશમાં લોક તરફ જોઈએ છીએ, તેમ પ્રજ્ઞાના શિખર પર ચડી, તું આ જન્મજરાદિક દુઃખથી પીડિત થયેલા લોકે તરફ નિર્ભયપણે જે ! હે શૂરવીર, માર સાથે યુદ્ધ કરી તે જય મેળવ્યો છે, તે લોકનાયક તું સર્વ ઋણમાંથી મુક્ત થયો છે. હવે લેકમાં ફરીફરીને તું તારા ધર્મનો પ્રચાર કર. તારો ધર્મ સમજનારા ઘણા લેકે તને મળશે.” “બુદ્ધ બ્રહ્મદેવની વિનંતિ માન્ય કરી અને પોતાના સદ્ધર્મને પ્રથમ કેને ઉપદેશ કરવો અને તે વિચાર કરવા લાગ્યો. આળારકાલામ તથા ઉદ્રક રામપુત્ર એ બે પૂર્વપરિચિત તપસ્વીઓ આ ધર્મનું રહસ્ય તરત સમજી શકશે એમ તેને લાગ્યું, પરંતુ તે બંને અત્યાર અગાઉ મરણ પામ્યા છે એ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy