SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ રરર શ્રી મહાવીર કથા અનેકવિધ ગતિને જાણે છે. જ્યારે જીવોની અનેકવિધ ગતિને જાણે છે, ત્યારે તેના કારણરૂપ પુણ્ય-પાપને, તેમજ બંધ-મોક્ષને પણ જાણે છે. જ્યારે પુષ્ય-પાપ તેમજ બંધ-મેક્ષને જાણે છે, ત્યારે તેને દૈવી તેમજ માનુષી ભોગેમાંથી નિર્વેદ (વૈરાગ્ય) પ્રાપ્ત થાય છે. જ્યારે તે દેવી તેમજ માનુષી ભેગમાંથી વિરક્ત થાય છે, ત્યારે તેમનો આંતર-બાહ્ય સંબંધ છેડી દે છે, તથા માથું મુંડાવી, ઘરબાર વિનાને સાધુ થાય છે. જ્યારે માથું મુંડાવી, ઘરબાર વિનાને સાધુ થાય છે, ત્યારે પાપકર્મોને રેકી, ઉત્તમ ધર્મનું સેવન કરે છે; તથા અજ્ઞાનથી એકઠી કરેલી કર્મરૂપી રજને ખંખેરી નાખે છે. જ્યારે અજ્ઞાનથી એકઠી કરેલી કમર જ ખ ખેરી નાખે છે, ત્યારે તેને સર્વવિષયક કેવળ-જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે. જ્યારે તેને સર્વવિષયક કેવળ જ્ઞાન-દર્શન પ્રાપ્ત થાય છે, ત્યારે તે કેવલજ્ઞાની-જન લેક તેમજ અલોકનું સાચું સ્વરૂપ જાણું શકે છે. જ્યારે તે લેક તેમજ અલેકનું સાચું સ્વરૂપ જાણે શકે છે, ત્યારે તે પોતાના મન-વાણી-કાયાના વ્યાપારનો નિષેધ કરી, શૈલ જેવી નિશ્ચળ શેલેશી દશા પ્રાપ્ત કરે છે. જ્યારે તે શિલ જેવી નિશ્ચળ શેલેશી દશા પ્રાપ્ત કરે છે, ત્યારે બાકીનાં સર્વ કર્મોને ક્ષય કરી, નિરંજન બની, લેકની ટોચ ઉપર જવારૂપી “સિદ્ધિ” ગતિ પ્રાપ્ત કરે છે. અને જ્યારે તે લેકની ટોચ ઉપર જવારૂપી સિદ્ધિ' ગતિ પ્રાપ્ત કરે છે, ત્યારે તે લેકના માથા ઉપર જઈને શાશ્વત સિદ્ધ બને છે.” શરૂઆતમાં જણાવ્યું હતું તેમ, મહાવીરનો પ્રથમ ઉપદેશ આમ બે કટકે થઈને પણ સંઘરાઈ રહ્યો છે, એ એક પ્રકારનું ૧. ઉપર પાન ૨૦૨માં જણાવેલાં અધાતી કર્મો. વધુ માટે જુઓ આ માળાનું અંતિમ ઉપદેશ” પુસ્તક, નવી આવૃત્તિ પા. ૧૮૨-૩, ૨. ત્યાં સિદ્ધ આત્માઓનું સ્થાન છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy