SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ શ્રી મહાવીર કથા ૫. તે નિગ્રંથ સ્ત્રી-માદાપશુ-નપુંસકથી લેવાયેલ આસન કે શયન ન વાપરે. આટલું કરે તો તે મહાવત બરાબર આચર્યું કહેવાય. viામું વ્રત: હું સર્વ પ્રકારના પરિવહન [ અર્થાત આસક્તિને] યાજજીવન ત્યાગ કરું છું. હું થોડી યા ઘણી, નાની યા મોટી, સચિત્ત કે અચિત એવી કઈ વસ્તુમાં પરિગ્રહબુદ્ધ નહિ રાખું (વગેરે ઉપર મુજબ.), તે મહાવ્રતની આ પ્રમાણે પાંચ ભાવનાઓ છે. ૧. તે નિગ્રંથ કાનથી મનહર શબ્દો સાંભળી તેમાં આસક્તિ, રાગ કે મેહ ન કરે. તેમજ ન ગમતા શબ્દો સાંભળી દ્વેષ ન કરે. કારણ કે, તેમ કરવાથી ચિત્તની શાંતિનો ભેદ થાય, અને કેવળીએ ઉપદેશેલા ધર્મથી ભ્રષ્ટ થવાય. કહ્યું છે કે કાનમાં શબ્દ પડતા અટકાવવા શક્ય નથી; પરંતુ, તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૨. તે નિથ આંખથી ગમતાં કે ન ગમતાં રૂપ દેખી તેમાં આસક્તિ કે દ્વેષ ન કરે. કહ્યું છે કે જે આંખે રૂ૫ ચડતાં અટકાવવા શક્ય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૩. તે નિર્મથ નાકથી ગમતા કે ન ગમતા ગંધ સુંઘી તેમાં આસક્તિ કે દ્વેષ ન કરે. કહ્યું છે કે, નાકે ગંધ આવતો અટકાવી શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૪. તે નિગ્રંથ જીભથી ગમતા કે ન ગમતા સ્વાદ ચાખી તેમાં આસક્તિ કે દ્વેષ ન કરે. કહ્યું છે કે: જીભે સ્વાદ આવતાં અટકાવો શકય નથી; પરંતુ તેમાં જે રાગદ્વેષ, તે ભિક્ષુએ ત્યાગવા. ૧. પરિગ્રહ એટલે પદાર્થોમાં રાગબુદ્ધિ કે ફેષબુદ્ધિ. જુએ. આગળ આવતા શ્લોકાની કડીઓ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy