SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા આગળ અંધકાર ઊભો રહી શકતો જ નથી. જીવ સાથે કામ બધાય છે, તે અજ્ઞાન વગેરે હેતુઓને કારણે બંધાય છે; કે હેતુઓ એક વાર દૂર થયા, તેની સાથે જ જીવની કર્મ સાથે બંધાવાની ગ્યતા જ દૂર થઈ જાય છે.” ૪: પ્રથમ ઉપદેશ આ અગિયારે પંડિતો એક વાર પોતાનું ઘમંડ તજી ભગવાનને શરણે આવ્યા, એટલે પછી ભગવાને તેમને પિતાના માર્ગને ઉપદેશ આપ્યો. સદ્ભાગ્યે એ પ્રથમ ઉપદેશ શબ્દશઃ સંધરાઈ રહેલા આજે આપણને મળે છે. આવશ્યક નિયુક્તિ (ગા. ર૭૧) માં જણાવ્યું છે કે, ભગવાન તીર્થંકર પ્રથમ સામાયિકાદિ વ્રત', “જવનિકાય', અને “ભાવના” ઉપદેશે છે. આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધમાં “ભાવના' અધ્યયનમાં વ્રત અને ભાવનાઓવાળો ભાગ સંઘરાયો છે. અને દશવૈકાલિકસૂત્રના જીવનિકાય” વાળા અધ્યયનમાં “જીવનિકાય' વળે ભાગ સંધરાવે છે. એ બંનેને સળંગ ગોઠવતાં તે આખો ઉપદેશ આ પ્રમાણે થાય –– ભગવાનને કેવળજ્ઞાન થયું, તે વખતે દેવદેવીઓની આવજથી અંતરિક્ષમાં ધમાલ મચી રહી. પછી ભગવાને પિતાને તેમજ લેકને બરાબર તપાસીને પ્રથમ દેવલોકેને ધર્મ કહી સંભળાવ્યો, અને પછી મનુષ્યને. મનમાં ભગવાને ગૌતમાદિ શ્રમનિગ્રંથને જવનિકા અને ભાવનાઓ સાથે પાંચ મહાવ્રત કહી સંભળાવ્યાં”. [આચા] “હે આયુષ્મન ! શ્રમણ ભગવાન મહાવીરે “છ જીર્વાનકાય” નામનું આ અધ્યયન પોતાના જ્ઞાનપ્રભાવથી જાણીને દેવ-મનુષ્યાદિને ઉપસ્યું છે, તથા પોતે પણ ભલે પ્રકારે આચર્યું છે. તે અધ્યયન ધર્મનું જ્ઞાન કરાવી, ચિત્તશુદ્ધિ કરનાર હોવાથી તેને સાંભળવું અને વિચારવું અતિ શ્રેયસ્કર છે [ દશવૈ૦ ].” તે આ પ્રમાણે છે :
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy