SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલ્યપ્રાપ્તિ २०५ ૨. પ્રથમ નિષ્ફળ ધર્મોપદેશ ભગવાનને કેવળજ્ઞાન થતાં જ તેમનાં દર્શન–પૂજનાર્થે આવેલાં દેવ-દેવીઓની અંતરિક્ષમાં ધમાલ મચી ગઈ. ભગવાને પણ તેમની ઉત્સુકતા દેખી, તેમને ધર્મોપદેશ આપ્યો. પરંતુ તેમાંથી કોઈના હૃદય ઉપર તેની કશી ચોટ બેઠી નહિ. તીર્થકર જેવા પુરુષે આપેલો ઉપદેશ આમ નિરર્થક જ જાય, એ ભારે આશ્ચર્યજનક બનાવ ગણાય. અને તેથી દશ આશ્ચર્યોમાં એક આશ્ચર્ય તરીકે તેની ગણના કરવામાં આવી છે. પિતાનો એ પ્રથમ ઉપદેશ આમ વિફળ થયેલ જોઈ, પિતાનો માર્ગ કેઈ જીવને પણ સંસારસાગર તરવામાં કામ આવશે કે નહિ, તે વિષે કદાચ જરાક સાશંક થઈ ભગવાન અપાપા નગરી તરફ પાછા ફર્યા, અને ત્યાંના મહાસેનવનમાં આવી ઊતર્યા. બુદ્ધ ભગવાનના મનમાં પણ બધિ પામ્યા બાદ પ્રથમ તે એવો જ વિચાર આવ્યો હતો કે, પોતાને પ્રાપ્ત થયેલા ધર્મજ્ઞાનનો બાધ જગતના પ્રપંચમાં રચ્યાપચ્યા રહેલા છાને થે શક્ય નથી. તેમને ધર્મને ઉપદેશ આપવાથી તેમને તે ધર્મનું જ્ઞાન સ્પષ્ટ રીતે થશે નહિ, અને પિતાને વિનાકારણ ત્રાસ થશે! તેથી ધર્મોપદેશ આપવાની ખટપટમાં ન પડતાં, એકાંતમાં જ કાલક્રમણ કરવું એ જ સારું છે. ત્યાર ૧. આ અવસર્પિણમાં બનેલા અમુક દશ બનાવોને “આશ્ચર્ય માનવામાં આવે છે. તે દશમાંથી મહાવીરના જીવનને લગતા પાંચ આ છેઃ (૧) તીર્થકરનો ઉપદેશ ખાલી જવો; (૨) કેવલજ્ઞાન થયા પછી કેવલજ્ઞાનીને ઉપસર્ગ-સંકટ વેઠવાનાં હોય નહીં, પણ ગોશાલકે મહાવીરને મારવા તેજલેશ્યા છેડી હતી, અને મહાવીરને તેને ત્રાસ વેઠ પડ્યો હતો; (૩) કોઈ તીર્થકરને ગર્ભ બદલવા પડયા નથી, પણ મહાવીરને બદલવો પડ્યો હતો; (૪) ચંદ્રસૂર્ય પોતાનાં મૂળ વિમાને સાથે મહાવીરને કૌશાંબીમાં વંદન કરવા આવ્યા હતા; (૫) અને મહાવીરના શરણના પ્રભાવથી ભુવનપતિ દેવોમાને ચમક સીધમ દેવેંકને નાશ કરવા, ઉપરના દેવલોકમાં જઈ શક્યો હતો.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy