SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ શ્રી મહાવીર કથા બાદ તેમનો એ જાતને વિચાર જાણું, મિત્રી-કરુણા-મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓના પ્રતીકરૂપ બ્રહ્મદેવ કેવી રીતે બુદ્ધની પાસે આવ્યા, તેમણે લોકોને ધર્મને ઉપદેશ કરવા કેવી રીતે બુહને સમજાવ્યા, અને છેવટે બુદ્ધે પોતાના સહતપસ્વી પાંચ ભિક્ષુઓને ધર્મોપદેશ આપવાનો વિચાર કેવી રીતે કર્યો, અને તેમને પિતાના પંથમાં આણ્યા – વગેરે હકીક્ત આ પ્રકરણને અંતે આપેલા પરિશિષ્ટમાં છે. ૩. પ્રથમ અગિયાર શિષ્ય અપાપા નગરીમાં મહાવીર આવીને ઊતર્યા તે વખતે તે નગરના સેમિલ નામના ધનાઢય બ્રાહ્મણે યજ્ઞકર્મમાં કુશળ એવા અગિયાર દિને યજ્ઞ કરવા નેતર્યા હતા. તેમનાં નામ ઈંદ્રભૂતિઅગ્નિભૂતિ–વાયુભૂતિ, વ્યક્તિ, સુધર્મા, મંડિક-મૌર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય, અને પ્રભાસ હતાં. તે બધા પોતપોતાના સેક શિષ્યાથી વીંટળાઈને તે યજ્ઞમાં આવ્યા હતા. મહાવીરસ્વામી અપાપા નગરીમાં પધાર્યા, એટલે દેવમનુષ્યાદિ વર્ગ યજ્ઞ છેડી, તેમનાં દર્શને જવા ઊપડ્યો. તે જોઈ, ઇંદ્રભૂતિ ચિડાયે; અને એવો તે કેણું છે જેનું દેવ ૧. આ ત્રણે ભાઈ હતા. ગેબર ગામના વસુભૂતિના પુત્રે થાય. માતાનું નામ પૃથ્વી. ૨. કલ્લાકનાં ધનુર્મિત્ર-વાણુને પુત્ર. ૩. કોલ્લાકનાં મિલ-ભદિલાને પુત્ર. ૪. મૌર્ય ગામના બે મસિયાઈ ભાઈ ધનદેવ અને મૌર્યને એક જ સ્ત્રી વિજયદેવીથી થયેલા બે પુત્ર. ધનદેવના મરણ પછી મૌર્ય લોકાચાર પ્રમાણે વિજયદેવીને પરણેલો. ૫. વિમળાપુરીનાં દેવ-જયંતીનો પુત્ર. ૬. કોશલીનાં વસુ-નંદાને પુત્ર. ૭. ગિકનાં દત-કષ્ણાને પુત્ર. ૮. રાજગૃહનાં બલ-અતિભદ્રાને પુત્ર.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy