SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા ચિત્તની આવી નિપ્રકંપતા ચિત્તની અત્યંત શુદ્ધિ વિના સંભવતી ન હોવાથી, ચિત્તની એકાગ્રતા અને ચિત્તની શુદ્ધતા – એ બે શબ્દો ગવિદ્યામાં પર્યાયરૂપ બન્યા છે. ઉપર જણાવેલે દિવસે તે પ્રકારના ઉત્કૃષ્ટ શુકલ-આનમાં ભગવાન મહાવીરની સ્થિતિ થઈ હતી. અને તેથી જ કાઈ જીર્ણ દોરી જેમ તકાળ તૂટી જાય, તેમ તેમના આત્મા ઉપરનાં ચાર ઘાતકર્મોનાં બંધન અચાનક તૂટી ગયાં, અને દિવસને ચાથે પહોરે તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. તે જ્ઞાનનાં વિશેષણ શાસ્ત્રકારના શબ્દોમાં આ પ્રમાણે છે: નિર્વાણુરૂ૫, સંપૂર્ણ, પ્રતિપૂર્ણ, અવ્યાહત, નિરાવરણ, અનંત અને સર્વોત્તમ. હવે મહાવીર સાધક – છદ્મસ્થ મટી, અહંત, જિન, કેવલી, સર્વજ્ઞ, તથા સર્વા–ભાવ દશી થયાજીવની આ લેકમાં આગતિ, ગતિ, સ્થિતિ કે પરલોકમાં તેનું દેવ–નરક-ભૂમિમાં જન્મવું કે ત્યાંથી આવવું, તેનું ખાધું-પીધું, કહ્યું-કારવ્યું, ભગવ્યુંસેવ્યું, બેલ્યુ-ચિતવ્યું વગેરે તેનાં તમામ ગુપ્ત કે પ્રગટ કાર્યો તે જાણવા તથા દેખવા લાગ્યા. ત્રિભુવનની પૂજાને યોગ્ય બનેલા તે અહંતમાં નીચેના અઢાર દેષો પૂરેપૂરા નાશ પામ્યા હોય છેઃ અજ્ઞાન, કૅધ, ભય, માન, લાભ, માયા, રતિ, અરતિ, નિદ્રા, શોક, અસત્ય, ચૌર્ય, મત્સર, ભય, હિંસા, પ્રેમાસક્તિ, ક્રીડાસક્તિ, અને હાસ્ય. * આ વિષે સમજવાને માટે જુઓ પા. ૦૨-૪. ૧. ત્રિભુવનની પૂજાને યોગ્ય. ૨. રાગદ્વેષાદિ કર્મમળ ઉપર જીત મેળવનાર. ૩. તે અઢારદેપોની ગણના કાંઈક જુદી જુદી પણ કરાય છે: હિસા, નડ, ચેરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલેશ (કલહ), અભ્યાખ્યાન (ખોટા આક્ષેપ) પશુન્ય (ચુગલી), રતિ-અરતિ, પરનિદા, માયામૃષાવાદ, અને મિથ્યાદર્શન (કદેવ-ગુરુ અને કુધર્મને સાચાં માની સેવવાં તે). કલરના ભાવ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy