SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલ્યપ્રાપ્તિ ૧. મહાવીર અહ"ભગવાન બન્યા અપાપા નગરીમાંથી મહાવીર ભિક ગામે આવ્યા તે નગરની બહાર, જુવાલુકા નદીના ઉત્તર કિનારા ઉપર શ્યામાક નામના ગૃહસ્થનું ક્ષેત્ર હતું. ત્યાં યાવર નામના ચૈત્યના ઈશાન ખૂણામાં આવેલા એક શાલવૃક્ષની નીચે મહાવીર ગેદેહાસને – ઢીંચણ ઊંચા અને માથું નીચે એમ ઉભડક બેસી, કઠેર તડકામાં જ ધ્યાનસ્થ થયા. તે વખતે તેમને છ ટંકના નિર્જળા ઉપવાસ થયા હતા. તે દિવસ વૈશાખ સુદ ૧૦ નો હતો, અને ચંદ્રને ઉત્તરાફાગુની નક્ષત્ર સાથે વેગ થયો હતો. ધ્યાન પણ અમુક પ્રયજનસર કરવામાં આવે છે, અને દરેક પ્રવૃત્તિની પેઠે તેને પણ અંત હોય છે. સામાન્ય રીતે આપણી જ્ઞાનધારા ક્ષણમાં એક, ક્ષણમાં બીજા, અને ક્ષણમાં ત્રીજા. એમ અનેક વિષયને અવલંબીને ચાલતી હોવાથી, વહેતા પવનની વચ્ચે રહેલ દીપશિખાની જેમ અસ્થિર હોય છે. તેવી જ્ઞાનધારાને વિશેષ પ્રયત્ન વડે બાકીના બધા વિષયોથી હઠાવી, આત્મારૂપ એક જ ઈષ્ટ વિષયમાં સ્થિર કરવી – અર્થાત તેને અનેકવિષયગામિની થતી અટકાવી, એકવિષયગામિની બનાવી દેવી – તે ધ્યાન છે. એ સ્થિરતા દૃઢ થતાં, જેમ ઘણાં ઇધણે કાઢી લેવાથી અને બચેલાં થોડાં ઇંધો સળગાવી દેવાથી, અગર તમામ ઈધણ લઈ લેવાથી અગ્નિ એલવાઈ જાય છે, તેમ, ઉપર્યુક્ત ક્રમે એક વિષય ઉપર સ્થિરતા આવતાં છેવટે મન પણ તદ્દન શાંત થઈ જાય છે અર્થાત તેનું ચંચલપણું દૂર થઈ, તે નિષ્પકંપ બની જાય છે, અને પરિણામે જ્ઞાનનાં બધાં આવરણે વિલય પામી સર્વજ્ઞપણું-કેવળજ્ઞાન પ્રગટે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy