SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ શ્રી મહાવીરકથા આ ચાર પ્રકારનાં કર્મો અત્માની વિવિધ શક્તિઓને ઘાત કરનારાં હેઈ, ઘાતી કર્મો કહેવાય છે. હવે જેને એ બધાં કર્મોને નાશ કરી, આત્મતત્ત્વને તેના શુદ્ધ સ્વરૂપે પ્રગટાવવું છે, તેની આગળ બે મુખ્ય કામ આવીને ઊભાં રહે છે. એક તે, બંધાઈ ગયેલાં કર્મોને ઉખેડી નાખવાં, અને નવાં કર્મ બંધાવાની શક્યતા દૂર કરવી. સૌથી પ્રથમ નવાં બંધાતાં કર્મો રોકવા એ જ ગ્ય ગણાય. કારણ કે તેમનું સ્વરૂપ જાણું, તેમને બંધાવાના માર્ગો વિચારવા અને અજમાવવા એ કાંઈક બુદ્ધિગમ્ય હાઈ સહેલું છે. તેને માટે ૬ ઉપાયો જૈન માર્ગ વિચારે છે. ૧. બુદ્ધિ અને શ્રદ્ધા પૂર્વક મન-વચનકાયાને ઉન્માર્ગથી રોકવા [fa]. ૨. અસતક્રિયાને નિષેધ કરી, વિવેકયુક્ત થઈ, સાવધાનતાપૂર્વક સતક્રિયામાં પ્રવૃત્તિ કરવી [સમિતિ). ૩. ક્ષમા, માર્દવ, આર્જવ, શૌચ, સત્ય, સંયમ ૩ તપ, ત્યાગ, આકિંચન્ય, અને બ્રહ્મચર્યરૂપી દશવિધ ધર્મ આચરવો. ૪. રાગ દ્વેષ આદિ વૃત્તિઓ થતી અટકે તે સારુ અનિત્યતા, અશરણત્વ, સંસાર, એકત્વ, અન્યત્વ, અશુચિત આદિ બાબતને લગતું તાત્ત્વિક અને ઊંડું ચિંતન [ સા ]. ૫. સ્વીકારેલ ધર્મમાર્ગમાં ટકી રહેવા માટે સુધા -તૃષા, શીત-ઉષ્ણુ, ડાંસમચ્છર, નગ્નત્વ, અરતિ,, સ્ત્રી, નિયતવાસ સ્વીકાર્યા વિના વિચર્યા કરવું, ગમે તે ભલે આવે તે પણ ૧. વિચાર, ભાષણ અને વર્તનની એકતા. ૨. આસક્તિને અભાવ-નિર્લોભતા. 3. મન વચન –દેહનું નિયમન, ૪. મલિન વૃત્તિઓને નિર્ભેળ કરવા માટે જોઈતું બળ કેળવવ કાજે જે આત્મદમન કરવામાં આવે છે. પ. મમત્વબુદ્ધિના અભાવ. ૬. સ્વીકારેલ માર્ગમાં અનેક મુશ્કેલીઓને લીધે ઊભે થતું કંટાળો.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy