SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ૨૦૫ અમુક સમય માટે સ્થિર આસને બેસવાને નિયમ લીધા પછી ચ્યુત ન થવું, કર્કશ શય્યા, કહેર વચન સાંભળવાં, તાડન— તન, યાચનાવૃત્તિ, યાચના કરવા છતાં માગેલી વસ્તુ ન મળવી, રાત્રે તૃણુ આદિની કઠેરતાને અનુભવ, શારીરિક સંસ્કારને અભાવે મેલ બાઝી જવા, સત્કાર-પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન,૧ અને સૂક્ષ્મ તથા અતી દ્રિય પદાર્થોનું દર્શન ન થવું ~ વિવિધ ભૂમિકાએ ઝટ પ્રાપ્ત ન થવી -વગેરે કારણે થતા ત્રાસા સમભાવપૂર્વક સહન કરવાની શક્તિ કેળવવી [ જીવનય ]. ૬. અને આત્મિક શુદ્ધ દશામાં સ્થિર થવાને અધી અશુદ્ પ્રવૃત્તિઓ ત્યાગવા દ્વારા પ્રયત્ન કરવા [ ત્રિ]. અધાયેલાં કમ ખંખેરવા માટે તેા જૈનશાસ્ત્ર તપનું જ અવલબન સૂચવે છે. તે તપમાં કેટલીક આંતરિક તેમ જ કેટલીક બાહ્ય પ્રવૃત્તિઓને સમાવેશ થાય છે. ઉપવાસ કર્યો કરવા, ભૂખ કરતાં આછું ખાવું, વિવિધ પદાર્થોની લાલચ ટૂંકાવવી, વિકારકારક રસે। ત્યાગવા, બાધા વિનાના એકાંત સ્થાનમાં વસવું, અને ટાઢ તડકામાં કે વિવિધ આસનાદિ વડે શરીરને કસવું, એ બધાં આદ્ય તપ છે. અને પ્રાયશ્ચિત્ત, વિનય, સેવા-શુશ્રુષા, વિવિધ પ્રકારના અભ્યાસ, અર્હત્વ-મમત્વને ત્યાગ, તથા ધ્યાન એ આભ્યંતર તપ છે. તપ એ માત્ર બંધાયેલાં કમ ખખેરનાર વસ્તુ જ નથી, નવાં બંધાતાં અટકાવનાર વસ્તુ પણ છે. તેથી જન સાધનામા માં તેના ઉપર જ વધુ ધ્યાન અપાય છે. તપ શબ્દ જે અમાં રૂઢ થયેલા છે, તે અમાં જ તેને વાપરીએ તા, તપ અને ધ્યાન એ બે વસ્તુઓ ઉપર જ જૈન મા નિર છે. તે અનેની ભૂમિકા તરીકે અહિંસા ઉમેરી લે, ૧. ચમત્કારી બુદ્ધિ કે શાસ્ત્રજ્ઞાન હાય તેના ગવ કરવા, અને ન હોય તેના ખેદ કરવા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy