SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરસ્થા ભગવાન ખાનપાનનું માપ બરાબર સમજતા હતા. તે રામાં કદી લલચાતા નહીં, તથા તેમની આકાંક્ષા કરતા નહીં. ચોખા, સાથો (મંયુ) અને ખીચડી લૂખા ખાઈને જ તે નિર્વાહ કરતા. ભગવાને આઠ મહિના સુધી તે એ ત્રણ વસ્તુઓથી જ ચલાવે. ભગવાન અડધા મહિના કે મહિના સુધી પાણી પણ ન પીતા. તે રીતે બે મહિના કે છ મહિના સુધી પણ વિહાર કરતા. હમેશાં આકાંક્ષા વિનાના તે ભગવાન કોઈ વાર ટાઢું અન્ન ખાતા; તે કઈ વાર છ, આઠ, દશ કે બાર કે પછી જ ખાતા. [૫૮-૬ . ] ગામ કે નગરમાં જઈને બીજાને માટે તૈયાર થયેલ આહાર તે સાવધાનપણે શોધતા. આહાર લેવા જવાના માર્ગમાં ભૂખ્યાં તેમજ તરસ્યાં કાગડા વગેરે પક્ષીઓને બેઠેલાં જોઈને, તેમજ બ્રાહ્મણ, શ્રમણ, ભિખારી, અતિથિ, ચંડાળ, બિલાડે કે કૂતરો, એ બધાંને કાઈ ઘર આગળ ઊભેલાં જોઈને, તેમને આહાર મેળવવામાં વાંધો ન આવે, તેમજ તેમને અપ્રીતિ ન થાય તે રીતે ભગવાન ત્યાંથી ધીરેધીરે ચાલ્યા જતા અને બીજે ઠેકાણે અહિંસાપૂર્વક ભિક્ષાની શોધ કરતા. કોઈ વાર પલાળેલો, સૂકે કે ઠંડે આહાર લેતા; ઘણા દિવસની ખીચડી બુક્કસ (બાકળા) અને પુલાગ (જવને ભાત) પણ લેતા. એવું પણ ન મળે, તે ભગવાન શાંતભાવે રહેતા. [૬૨-૭] ભગવાન રોગથી અસ્પષ્ટ છતાં પેટ ઊણું રાખીને જમતા, અને કદી ઔષધ ન લેતા. શરીરનું સ્વરૂપ સમજીને ભગવાન તેની શુદ્ધિ અર્થે સંશોધન (જુલાબ), વમન, વિલેપન, સ્નાન અને દંતપ્રક્ષાલન ન કરતા. તેમ શરીરના આરામ માટે ચંપી પણ ન કરાવતા. [૫૪–૫] આમ કામસુખેથી વિરત થયેલા એ અબદુવાદી “બ્રાહ્મણ વિહરતા હતા. તેમણે કષાયની જવાળા શાંત કરી હતી, અને તેમનું દર્શન વિશદ હતું. પોતાની સાધનામાં તે
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy