SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ૨૦૧ એટલા બધા નિમગ્ન હતા, કે તેમણે આંખ પણ કદી એળી નથી, કે શરીરને ખજવાળ્યું નથી. રતિ તથા અરતિને પરાજય કરી, તેમણે આ લેકનાં તથા દેવ-યક્ષ વગેરેનાં અનેક ભયંકર સંકટો, તથા અનેક પ્રકારના શબ્દો અને ગંધ સમભાવે સહન કર્યા. [૫૬,૧૧,૨૦,૩૨-૩ ] “ચાંચલ્યરહિતપણે ભગવાન અનેક પ્રકારનાં આસનોએ સ્થિત થઈ ધ્યાન ધરતા અને સમાધિદક્ષ તથા આકાંક્ષા વિનાના થઈને તે ઊર્ધ્વ, અધે અને નિયમ્ લેકને વિચાર કરતા. કષાય વિનાના, લાલચ વિનાના, શબ્દ અને રૂપમાં મૂછ વિનાના, તથા સાધક દશામાં પરાક્રમ કરતા તે ભગવાન જરા. પણું પ્રમાદ ન કરતા. તે પોતાની મેળે સંસારનું સ્વરૂપ સમજીને આત્મશુદ્ધિમાં સાવધાન રહેતા હતા. [૬૯]” પરિશિષ્ટ આત્મા ઉપરનાં આવરણ હવેના પ્રકરણમાં મહાવીરની કેવલ્યપ્રાપ્તિની કથા આવવાની છે. તે કથામાં જોડાતા પહેલાં કૈવલ્યપ્રાપ્તિ વિષેની જૈન કલ્પના શી છે તેની ટૂંક માહિતી મેળવી લઈએ, જેથી મહાવીરે કરેલી કૈવલ્યપ્રાપ્તિનું સ્વરૂપ આપણને ઝટ સમજાઈ જાય. આત્મા ઉપર કશાનું જે બંધન–આવરણ હેય, તે તે કર્મોનું જ છે. તેને કારણે જ આત્માની વિવિધ શક્તિઓ રૂંધાઈ રહે છે, અને જીવ વિવિધ અશક્તિઓ યુક્ત બની સુખ-દુ:ખ પામત. વિવિધ યોનિઓમાં ફરે છે. એ પેનિઓમાં તે ગમે તેવી મોટી મોટી વિભૂતિઓ ધારણ કરે, પરંતુ તેની મૂળ શક્તિને હિસાબે તે તે બધી અસામર્થનરૂપ જ છે. તે પ્રમાણે ગમે તેવું સૂમ તેમ જ વિપુલ જ્ઞાન તે ધરાવે, પરંતુ તેની મૂળ જ્ઞાનશક્તિ આગળ તો તે નહિ જેવું જ છે. બીજા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy