SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાના બીજા છ વર્ષ ગુસ્સે થઈ જતા; તે પણ ભગવાન સમભાવથી ધ્યાન જ કર્યા કરતા. [૩૦–૧, ૩૪–૫]. “જ્યાં બીજા અનેક લોકોને ઉતારે હેય, એવાં સ્થાનમાં રહેતી વખતે ભગવાન સ્ત્રીઓ સામે નજર પણ ન કરતા, પરંતુ અંતમુર્ખ રહીને ધ્યાન ધરતા. પુરુષ સાથે પણ તેઓ કશે સંબંધ ન રાખતા. કઈ પૂછે તો તેને જવાબ નહોતા આપતા. કોઈ પ્રણામ કરે, તે પણ તેના તરફ નજર નહેતા કરતા. એવે વખતે તેમને નિષ્પ મનુષ્યો દ્વારા માર તેમજ ત્રાસ પડતો. તે બધું તે સમભાવે સહેતા. તે જ પ્રમાણે આખ્યાન, નાટક, ગીત, દંડયુદ્ધો, અને મુછયુદ્ધો તથા પરસ્પર કથામાં લીન થયેલા મનુષ્ય તરફ પણ કશી ઉત્સુકતા રાખ્યા વિના તે શંકરહિત જ્ઞાતપુત્ર મધ્યસ્થ દાંછ રાખતા. સહી ન શકાય એવાં દુઃખો વટાવીને પરાક્રમ કરતા તે મુનિ સર્વત્ર સમભાવે રહેતા; તથા એ મોટાં સંકટો પાર કરતી વેળા કોઈનું શરણ ન શોધતા. [૬, ૧૦] દીક્ષા લેતા પહેલાં પણ બે વર્ષ કરતાં વધારે વખતથી તેમણે ઠંડું પાણું પીવાનું છોડી દીધું હતું. પૃથ્વી, પાણી, તેજ, વાયુ, સેવાળ, બીયાં, વનસ્પતિઓ અને ત્રસ (જંગમ) પ્રાણે સચિત્ત છે એમ સમજી તેમને બચાવીને ભગવાન વિહાર કરતા હતા. [૧૧]. ભગવાને પોતાને માટે તૈયાર કરેલું ભોજન કદી સેવ્યું નથી. કારણ કે, તેમ કરવામાં ભગવાન કર્મને બંધ સમજતા. પાપકર્મમાત્રને ત્યાગ કરતા ભગવાન નિર્દોષ ખાનપાન મેળવીને જ તેને ઉપયોગ કરતાતે કદી બીજાના પાત્રમાં ભોજન ન કરતા, કે બીજાના વસ્ત્રનો ઉપયોગ ન કરતા. માનાપમાનને ત્યાગ કરીને કોઈનું શરણું ન ઇચ્છતા ભગવાન ભિક્ષા માટે ફરતા. [૧૮–૯]
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy