SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી મહાવીર કથા “રસ્તે ચાલતાં ભગવાન આગળ આગળ પુરુષની લંબાઈ જેટલા માર્ગ ઉપર દષ્ટિ રાખીને, આડુંઅવળું જોયા વિના સાવધાનીથી ચાલતા; કોઈ બેલાવે તે ઘણું ઓછું બોલતા અને દૃષ્ટિ સ્થિર કરીને અંતર્મુખ રહેતા. તેમને આવા નમ્ર જોઈને તથા તેમનાં સ્થિર નેત્રાથી ભય પામતાં છોકરાં ટાળે વળી, તેમને મારતાં મારતાં રાડો નાખતાં. [૫.૨૧]. કઈ વાર ભગવાન ઉજજડ ઘરે, સભાસ્થાને, પરબ અને હાટડાં એવાં સ્થાનમાં રહેતા, તો કોઈ વાર લુહારની કેદ્રોમાં કે પરાળના ઢગલાઓ પાસે, તો કોઈ વાર ધર્મશાળાઓમાં, બગીચાઓમાં, ઘરમાં કે નગરોમાં રહેતા હતા આ રીતે એ શ્રમણે બાર વર્ષ કરતાં વધુ સમય વિતાવ્યા. તે વર્ષો દરમ્યાન રાત-દિવસ યત્નવાન રહીને ભગવાન અપ્રમત્તપણે સમાધિપૂર્વક ધ્યાન કરતા, પૂરી ઊંઘ પણ ન લેતા; ઊંઘ આવતાં, ઊઠીને આત્માને જાગ્રત કરતા. કોઈ વાર તે આડે પડખે થતા, પણ તે નિદ્રાની ઈચ્છાથી નહીં. કદાચિત નિદ્રા આવતી, તો તેને પ્રમાદ વધારનારી સમજી, ભગવાન ઊઠીને તેને દૂર કરતા. કેાઈ વાર મુદ્દત સુધી રાત્રે ચંક્રમણ કરતા. [ ૨૪-૯] તે રહેઠાણોમાં ભગવાનને અનેક પ્રકારનાં ભયંકર સંકટ વેઠવાં પડ્યાં. તે તે સ્થળમાં રહેનારાં જીવજંતુઓ કે પંખીઓ તો તેમને ઉપદ્રવ કરતાં જ; પરંતુ હલકાં મનુષ્ય દ્વારા પણ તેમને ઘણે ત્રાસ વેઠવો પડ્યો હતો. કોઈ વાર ગામના રખવાળો હાથમાં હથિયાર લઈ ભગવાનને કનડતા. કોઈ વાર વિષયવૃત્તિથી સ્ત્રી કે પુરુષ ભગવાનને એકલા જાણીને હેરાન કરતાં. રાત્રે એકલા ફરનાર લોકો તે તે સ્થાનમાં એકલા રહેલા ભગવાનને અનેક પ્રશ્નો પૂછતા. જ્યારે ભગવાન કશે જવાબ ન આપતા, ત્યારે તેઓ ભગવાન ઉપર ચિડાઈ જતા. કોઈ એમ પૂછે કે, વચ્ચે આ કોણ છે? તો “હું ભિક્ષુ છું,' એમ ભગવાન કહેતા. તેથી વધારે નહીં બોલતા ભગવાન ઉપર તેઓ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy