SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીરકથા કરી ટું-એવા ભક્તિભીના ઉમળકા તેના અંતરમાં ઊઠતા હતા. તે પેલા મહાપુરુષોની શાંત ગૌરવભરી મૂર્તિ સામું જેતે જેતે આનંદિત થતા સાથે ચાલતો હતો. પેલા સંતપુરુષે પણ નયસારના હદયના આ ભાવથી બિનવાકેફ નહતા. તેની આ ભક્તિ – તેને આ ઉમળકે નિર્દેતુક છે, એ વસ્તુ તેઓથી અજાણ નહોતી. તેઓ સમજતા હતા કે, આવી નિહેતુક પ્રેમભક્તિ જ ચિત્તમાં અનેક શુભ ગુણેને ઉદય થવાનું કારણ છે. એ ભાવમાં તરબોળ થયેલું ચિત્ત સ્વાભાવિક રીતે જ સામા માણસની અનેક વાર્તા આપોઆપ આત્મસાત કરી લે છે. છૂટા પડતા પહેલાં તેમણે તેને અધિકાર જોઈ, ધર્મજીવનની કેટલીક મુખ્ય વાત તેને સહેજે સંભળાવી દીધી. અને નયસારના ભક્તિભીના હદયમાં તે તરત જ વજલેપ થઈ ગઈ. આ રીતે ધર્મબીજ વવાયા બાદ નયસારનું પ્રથમનું નિર્દોષ કર્મપરાયણ જીવન કોઈ અનેરા ભાવોમાં પલ્લવિત – પ્રફુલ્લિત થઈ ઊઠયું. બહારથી તે તે કાંઈ વિશેષ ન બદલાયું, કે ન તેમાં કેઈમેટ વિચ્છેદ પડ્યો; પરંતુ તેની સ્વાભાવિક પ્રવૃત્તિને હવે નવી જ કૃતાર્થતા મળી. માનવચિત્તમાં પુરુષને હાથે વવાતા ધર્મબીજની ક્રિયા અગમ્ય છે. બે હદયો એકબીજાનાં એવાં ઉમુખ કેવી રીતે બને કે જેથી એકની જ્યોત બીજું હદય તરત ઝડપી લે, એ વસ્તુ શાબ્દિક નિરૂપણને વિષય નથી બની શકતી. તેથી કથાકાર નયસારના હદયમાં તે સંતેએ કયા ધર્મોપદેશથી કેવી રીતે આ ધર્મબીજ રોપ્યું, તે નોંધવાની દરકાર નથી કરતા. ધમપદેશ તે ઘણાય પડેલા છે. ખરી જરૂર તે જીવતી-જાગતી જાતની, અને તે જોત ઝટ પિતામાં સ્વીકારી લે તેવી સ્નેહભીની હૃદય-દિવેટની છે. કાંઈ પણ કહેવું જ હોય છે એટલું જ કહી શકાય કે એ વસ્તુ યાપિ હિ જુવેન અતિા
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy