SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી મહાવીર કથા મહાવીરે કશો જવાબ આપ્યો નહિ, ત્યારે “તેણે તારે કાન છે કે બાકાં છે?” કહી બે શળ લઈ બે બાજુથી તેમના બે કાનમાં બેસી દીધી. પછી કેઈ તે શળ ખેંચી કાઢે નહિ, માટે તેમના બહારના ભાગ ભાગી નાખી તે દુષ્ટ ગોવાળ ચાલ્યો ગયો. એ ભયંકર વેદના મહાવીરે જરા પણ કંપિત થયા વિના સહન કરી લીધી. પછી કાનમાં શો સાથે જ તે અપાપા નગરીએ પધાર્યા. પારણા માટે ભિક્ષાર્થે ફરતાં ફરતાં તે સિદ્ધાર્થ નામે વણકને ઘેર ગયા. સિદ્ધાર્થે તેમનું પ્રતાપી મુખ જોઈ, તેમને ભક્તિ ભાવથી ભિક્ષા આપી. તે વખતે ત્યાં સિદ્ધાર્થને ખરક નામે પ્રિયમિત્ર વૈદ્ય બેઠો હતો. તે મહાવીરની મુખાકૃતિ ઉપરથી સમજી ગયો કે, તેમના શરીરમાં ક્યાંક વેદના છે. તપાસ કરતાં કાનની થળે તેના જોવામાં આવી. સિદ્ધાર્થ તો આ ભયંકર જખમ જોઈને કંપી ઊઠ્યો, તથા ગમે તે પ્રકારે તે શળે ભગવાનના કાનમાંથી કાઢવા પોતાના મિત્રને વિનંતિ કરવા લાગ્યો. મહાવીર યથાક્રમે ભિક્ષા લઈ ગામ બહાર ઉદ્યાનમાં પાછા આવી ધ્યાનસ્થ થયા. પરંતુ તેમની સહનશક્તિ તથા તેમનું તેજ જોઈને આકર્ષાયેલા પિલા બે જણ શળ કાઢવાની બધી સાધનસામગ્રી લઈ તેમની પાછળ પાછળ ઉદ્યાને આવ્યા. વઘ બધા પ્રાથમિક વિધિઓ પૂરા કરી, મહાવીરના બે કાનમાંથી બે સાણસીઓ વડે પેલી શળે બળપૂર્વક એકી સાથે ખેંચવા માંડી. તે શો લોહીની ગાઠ સાથે લઈને નીકળી તો ખરી, પરંતુ એ વખતે થયેલી ભયંકર વેદનાને કારણે દઢામાં મહાવીરના મુખમાંથી પણ કારમી ચીસ નીકળી પડી. કથાકાર કહે છે કે, એ કારમી ચીસના કંપારાથી આખી પૃથ્વી ફૂટી ન ગઈ, તેનું કારણ એટલું જ હતું કે, એ ચીસ એક દયાળુ મહાત્માના અંતરમાંથી નીકળેલી હતી. પ્રભુની એ ભયંકર
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy