SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વર્ષ ચીસ ઉપરથી તે સ્થાન મહાભેરવ નામથી ઓળખાવા લાગ્યું. અને બધી વાત જાણું આશ્ચર્યમૂઢ થયેલા ગામલેકએ તે સ્થળે દેવાલય કરાવ્યું. કર્મમળ હવે દૂર થવા આવ્યો હતો, અને મહાવીરને તરતમાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું હતું. તે પ્રસંગ ઉપાડવા પહેલાં, અતિ દુષ્કર તપશ્ચર્યા કરતાં કરતાં મહાવીરે સહન કરેલાં કષ્ટનું વર્ગીકરણ કરતાં કથાકાર કહે છે કે, તે બધી વેદનાઓના જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભાગ પાડીએ, તે જઘન્ય વર્ગમાં સૌથી કારમી વેદના પેલી કટપૂતનાએ કરેલી શીતની વેદના ગણાય (પા. ૧૫૭). મધ્યમ વર્ગમાં સૌથી કારમી વેદના સંગમે મૂકેલા કાળચક્રની ગણાય (પા. ૧૮૩, નોંધ ૧). અને ઉત્કૃષ્ટ વર્ગની સૌથી કારમી વેદના ગોવાળની શાની ગણાય. એ વેદના સૌથી મોટામાં મેટી હતી, તેમજ છેલ્લામાં છેલ્લી પણ હતી. કથાકારો અત્યાર સુધીમાં મહાવીરનાં તપની પણ સળંગ યાદી આ ઠેકાણે આપતા જાય છે. છમાસી ઉપવાસ ૧; છમાસી ઊણા પાંચ દિવસને ઉપવાસ ૧; ચારમાસી ઉપવાસ ૯; ત્રણમાસી ઉપવાસ ૨; અઢી માસી ઉપવાસ ૨; બે માસી ઉપવાસ ૬; દોઢ માસી ઉપવાસ ૨; માસિક ઉપવાસ ૧૨; પાક્ષિક ઉપવાસ ૭૨; સર્વતોભદ્ર પ્રતિમા (દશ દિવસની) ૧; મહાભક પ્રતિમા (ચાર દિવસની) ૧; આઠ ટંકના ઉપવાસ ૧૨; છ અંકના ઉપવાસ ૨૨૯; ભકાપ્રતિમા (૨ દિવસની) ૧; પારણું ૩૫૦ ૧. કુલ બાર વર્ષ, 1. છ ટંકના ઉપવાસ ૨૨૯ છે. પરંતુ તેમનાં પારણાં ૨૨૮ ગણ્યાં છે, કારણ છેલ્લા છ અંકના ઉપવાસ દરમ્યાન ભગવાનને કેવળજ્ઞાન થયેલું; અને તેનું પારણું પી કરેલું, એટલે તે છઘસ્થાવસ્થામાં નથી ગયું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy