SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વ ૧૯૩ કપાઈ મૂએ.૧ આવા આવા જીવલેણ પ્રસંગેામાંથી હેમખેમ ઊગરી જવું એ પૂર્વની અનુપમ ક સમૃદ્ધિનું ફળ જ હાઈ શકે. [બારમું ચામાસું] ત્યાંથી નીકળી મહાવીર ચંપાનગરીમાં આવ્યા. ત્યાં સ્વાદિત્ત નામે બ્રાહ્મણની અગ્નિશાળામાં ચાર માસના ઉપવાસ કરી, તે ચાતુર્માંસ રહ્યા. તે દરમ્યાન તે બ્રાહ્મણ સાથે મહાવીરને સૂક્ષ્મ તેમ જ ઇંદ્રિયાથી અગમ્ય એવા આત્મતત્ત્વ સંબધે વાર્તાલાપ થયા, અને તેથી પ્રસન્ન થયેલા તે બ્રાહ્મણ તેમનું બહુમાન કરવા લાગ્યા. ચામાસું પૂરું થતાં ભગવાન જ઼ાભક ગામે આવ્યા. ત્યાંથી નીકળી મેઢક ગામે ગયા;૩ અને ત્યાંથી ષડ્માનિ. ત્યાં મહાવીર ગામ બહાર ધ્યાનસ્થ થઈને બેઠા. ત્યાં તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાનું હતું. પરંતુ તે પહેલાં તેમને છેક છેલ્લા એક કારમા પ્રસગ સહન કરવાના આવ્યા. ત્રિપુર્ણ વાસુદેવના ભવમાં ભાગવાને (પા. ૪૨ ) જે શય્યાપાલકના કાનમાં ઊકળતું સીસું રેડાવેલું, તે શય્યાપાલક આ સમયે આ ગામમાં જ ગાવાળ તરીકે અવતર્યાં હતા. તે આસપાસ જંગલમાં બળદ ચરાવતા હતા. એટલામાં ગાયા દેહવાને સમય થતાં, ધ્યાનસ્થ મહાવીરને મળો સાચવવાનું કહી તે ચે।ડી વાર માટે ગામમાં દાડયો. પ્રભુએ કાંઈ તેનું કહેવું સાંભળ્યું કે સ્વીકાયુ" ન હતું. તેથી ખળદો ધણી વગરના થતાં ફરતા ફરતા દૂર ઝાડીમાં ચાલ્યા ગયા. ગાવાળે પાછા આવી પેાતે સાંપેલા અળદા વિષે મહાવીરને પૂછ્યું. પણ ધ્યાનસ્થ ૧. થાકાર પેલા માસીપુત્ર સિદ્ધાની મેદ – સ્પૃહી વચ્ચે લાવે છે. ૨. ત્યાં ઇંદ્ર આવીને તેમનેં નાટકવિધિ બતાવી ગયેા. ૩. ત્યાં પૂર્વ ઉપકાર યાદ કરી પેલા ચમરેદ્ર વના કરી ગયા ( જીંઆ યા, ૧૮૭.)
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy