SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર-કથા થતા તે સ્થળે આવ્યા. મૃગાવતી રાણું તો મહાવીરના મામાની દીકરી હેઈ, બહેન જ થાય. તે તથા શતાનીક રાજા, તેને મંત્રી સુગુપ્ત તથા તેની સ્ત્રી નંદા વગેરે ત્યાં આવી પહોંચ્યાં. દધિવાહન રાજાના કુંચકી સંપુલને શતાનીક કેદ પકડી લાવેલ તેને તરતમાં જ રાજાએ છૂટો કરેલે, તે પણ બધી ધમાલ જોઈ ત્યાં આવ્યો. તે તો ચંદનાને જોઈ તેને તરત પગે પડ્યો, અને છૂટે મેં એ રડવા લાગ્યા. પિતાના કંચુકીને જેઈ ચંદના પણ રડવા લાગી. રડવાનું કારણ પૂછતાં કંચુકીએ જણાવ્યું કે, આ તે મારા રાજા દધિવાહનની પુત્રી વસુમતી છે; તેની આ દશા જોઈ મને રડવું આવ્યું છે. મૃગાવતી બાલી, આ તો મારી ભાણેજ! તેની આ સ્થિતિ? પછી તે તેને પિતાની સાથે રાજમહેલમાં લઈ ગઈ. શેઠ શેઠાણને કાઢી મૂકી. અને એ આખા ગંભીર પ્રસંગને આ રીતે અંત આવ્યો. ૫. છેલું દારુણ દુઃખ છ મહિનામાં પાંચ દિવસ ઊણી રહેલા ઉપવાસનું એ રીતે પારણું કરી, મહાવીર સુમંગળ ગામે આવ્યા. ત્યાંથી સત્સત્ર અને ત્યાંથી પાલક. ત્યાં પણ તેમના ઉપર એક વિકટ પ્રસંગ આવી પડ્યો. તેમાંથી તે અકસ્માત જ જીવતા બચી નીકળ્યા. ભાયલ (વાહિલી) નામે કોઈ વણિક દેશયાત્રા કરવા જતો હતો, તેવામાં તેણે મહાવીરને સામે આવતા જોયા. આ મૂડિયાએ શરૂઆતમાં જ ક્યાં અપશુકન કર્યા, એમ વિચારી ગુસ્સે થઈ તે તલવાર ઉગામી તેમને મારવા દોડ્યો. પરંતુ ત્યાં પહેચતા પહેલાં જ અકસ્માત પિતાની ઉગામેલી તરવાર દ્વારા પોતે જ ૧. ત્યાં સનકુમાર ઇદ્ર વંદના કરી ગયો, એવી વિગત કથાકાર નેધે છે. ૨. ત્યાં માહેદ્ર કલ્પને ઇંદ્ર વંદન કરી ગયા.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy