SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શ્રી મહાવીરકથા તેમને પેાતાને ત્યાં ભિક્ષા માટે લઈ જવા તે રાજ એ મંદિરમાં ફેરા ખાવા લાગ્યા. પરંતુ મહાવીરે તે ચાર માસના ઉપવાસ સ્વીકાર્યો હાવાથી, ભિક્ષા માટે તે બહાર નીકળતા જ નહીં. ઉપવાસને છેલ્લે દિવસે તે શેઠે મહાવીરને નિમંત્રણ કરી પેાતાને ઘેર ભિક્ષાની તૈયારી કરવા ગયે. પરંતુ મહાવીર કાઈનું નિમંત્રણ સ્વીકારીને તેને ધેર ભિક્ષા લેવા જાય શાના? તેમણે તા પેલા તુમાખી અભિનવશ્રેષ્ઠીનું ધર પહેલું આવતાં તેને ત્યાં ભિક્ષા માગી. પેલાએ તુચ્છકારથી ‘આને કંઈ આપીને વિદાય કરા ' એમ પેતાની દાસીને કહ્યું. દાસીએ લાકડાની પાલીમાં અડદના બાકળા લાવીને મહાવીરને આપ્યા. મહાવીર તે લઈને ચાલતા થયા. અલબત્ત, કથાકાર કહે છે તેમ, મહાવીરે ભિક્ષા તે અભિનવશ્રેષ્ઠીને ત્યાં જ ગ્રહણ કરી, પરંતુ તેને ભિક્ષાદાનનું ફળ ન મળ્યું, કારણ તેણે તે દાન ભક્તિભાવ વિના – તુચ્છકારથી કર્યું" હતું. પરંતુ જિનદત્ત શ્રેષ્ઠીને ત્યાંથી ભગવાને જો કે ભિક્ષા ગ્રહણ ન કરી, તે પણ તેના હૃદયની ભક્તિ મહાવીરને બ્રિક્ષા આપવામાં જ એકાગ્ર થઈ હાવાથી, ભિક્ષાદાનનું ફળ તેને જ મળ્યુ.૧ મહાવીર ત્યાંથી નીકળી સુસુમારપુરી આવ્યા. ત્યાં અશાકખંડ નામના ઉદ્યાનમાં મહાવીરે આડે ટકને ઉપવાસ ધારણ કરી, એક રાત્રીનું મહાપ્રતિમા (જીએ પા. ૧૮૧) તપ આધ્યુ. આ અરસામાં એક આશ્ચર્યજનક બનાવ બન્યા. વિધ્યાચળની તળેટીમાં વસેલા વેભેલ નામના ગામમાં પૂરણ નામે ગૃહસ્થ રહેતા હતા. તેને એક વખત વિચાર આવ્યા કે, ' આ ભવમાં હું જે સુખસમૃદ્ધિ ભાગવું છું, તે મારાં પૂર્વજન્મનાં તપનું ફળ છે. તે આવતા ભવમાં પણુ એવું ફળ પ્રાપ્ત કરવા મારે આ ભવમાં તપ આચરવું જોઈએ. ૧. આ વાત લેાકેાને મહાવીરના ચાલ્યા ગયા બાદ તે ઉદ્યાનમાં જ ઊતરેલા પાનાથના એક કેવળી શિષ્ય પ્રગઢ કરી હતી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy