SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વર્ષ એક-એક રાતદિવસ રહેવાનું હોય છે. એટલે કુલ ચાર રાતદિવસ વ્યતીત થાય. ઉપવાસ પણ તે ચાર દિવસની આઠ ટંક, તથા આગળ-પાછળની એક-એક ટંક ઉમેરતાં કુલ દશ ટંકન થાય. મહાભદ્રા પ્રતિમા પૂરી થતાં, પારણું કર્યા વિના જ પાછી તેમણે સર્વતોભદ્રા પ્રતિમા અંગીકાર કરી. મહાભદ્રામાં ચાર દિશામાં એક-એક રાત-દિવસ રહેવાનું હતું, આમાં એ જ પ્રમાણે ચાર દિશા, ચાર ખૂણા, અને ઉપર તથા નીચે એમ કુલ દશ દિશાઓમાં એક-એક રાત-દિવસ રહેવાનું હોય છે. એમ કુલ દશ દિવસ વ્યતીત થાય. ઉપવાસ પણ દશ દિવસની વીસ ટકે, અને એક આગળની તથા એક પાછળની ટંક મળી કુલ ૨૨ ટંકને થાય. આટલું તપ એકીસાથે કર્યા બાદ મહાવીર પારણું કરવા આનંદ નામના ગૃહસ્થને ત્યાં ગયા. તેની બહુલા દાસી વાસી અન્ન કાઢી નાખી, વાસણ ધોતી હતી. મહાવીરે એ વાસી અન્ન ખાઈને જ પારણું કર્યું . ત્યાંથી નીકળી મહાવીર, મ્લેચ્છોથી ભરપૂર એવી દૃઢભૂમિમાં ગયા. ત્યાં પેઢાલ ગામની બહાર, પેઢાલ નામના ઉદ્યાનમાં, પિલાસ નામે ચિત્યમાં આઠ ટંકને ઉપવાસ કરીને રહ્યા, અને પછી એક રાત્રી મહાપ્રતિમા નામનું તપ આદર્યું. તે તપને વિધિ આ પ્રમાણે છે : જીવજંતુને ત્રાસ ન થાય તેવા એક શિલાતટ ઉપર શરીરને જરા નમાવી, હાથ ઢીંચણ સુધી લંબાવવા; ચિત્ત સ્થિર કરવું અને એક નિર્જીવ લૂખા પદાર્થ ઉપર દષ્ટિ સ્થિર કરી, પાંપણ પણ બીડવ્યા વિના આખી રાત વ્યતીત કરવી. “એ ઉગ્ર તપ ખરેખર દુષ્કર છે, તથા કાયર લોકોને ગભરાવી મૂકનાર છે.” પરંતુ હવે જ મહાવીરની ખરી અગ્નિપરીક્ષા થવાની હતી. પ્લેચ્છને દેશ, સાધુ-સંતને પિછાને નહીં કે સંમાને નહીં. તે દેશમાં પોતાની જાતને લાવી મૂકીને તેમણે આવું ઉગ્ર તપ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy