SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા ગાય-વાછરડાની આ વાત સાંભળી, પેલો યુવાન વિચારમાં પડી પેલી વસ્યાને ત્યાં ગયો. તે વેશ્યાએ તેને સત્કાર કર્યો, પરંતુ તે યુવાનનું ચિત્ત તે પેલો સંવાદ સાંભળીને વિમાસણમાં પડેલું હતું, એટલે તેણે બમણું ધનની લાલચ આપી વેસ્થાને તેને પૂર્વ ઈતિહાસ પૂક્યો. વેશ્યાએ કહેલો ઇતિહાસ સાંભળી તે યુવાન તરત જ પોતાનાં કહેવાતાં માતાપિતા પાસે ગયો, અને પૂછવા લાગ્યો, “હું શું તમારે અંગજ પુત્ર છું કે પાલિત પુત્ર છું?” તેમને એથી સાચી વાત સાંભળ્યા બાદ તેને ખાતરી થઈ કે, પિતે જે વેસ્યા સાથે કામ કરવા ગયા હતા, તે જ પિતાની જન્મદાત્રી મા હતી! તે તરત પાછા ચંપાનગરી ગયે, અને પોતાની માને પેલી કુદૃની પાસેથી છોડાવીને પિતાને ગામ લઈ ગયો. હવે તે વેશિકાને પુત્ર “વશિકાયન' એવા નામથી ઓળખાવા લાગ્યો. પોતે કામવશ થઈ માતા સાથે અનાચાર કરવાની અણું ઉપર આવી ગયો હતો, તે પ્રસંગથી તેને સારી પેઠે આઘાત થયો હતો. આથી લગ્ન કરવાનું માંડી વાળી તે તાપસ બન્યા. જે અરસામાં મહાવીર અને ગોશાલક કૂર્મગ્રામે આવી પહોંચ્યા, તે અરસામાં તે તાપસ પણ ફરતો ફરતો કુર્મગ્રામે આવી પહોંચ્યો હતો, અને શરૂઆતમાં જણાવ્યા મુજબ સૂર્યના તડકામાં ઊભે રહી તપ તપતો હતો. સૂર્યના તડકાને કારણે તેની લાંબી જટામાંથી જૂઓ તરવરીને જમીન ઉપર ખરી પડતી હતી. તેમને તપી ગયેલી જમીન ઉપર તરફડતી જોઈ, તે દયાળુ તાપસ તેમને ઉપાડી ઉપાડીને પાછી પિતાની જટામાં નાખતો હતો. ગશાલકને એ બીના જોઈને હસવું આવ્યું. લાંબી જટા વિના કારણ રાખવી, તેમાં જૂઓ ઉત્પન્ન થવા દેવી, અને પછી તપ-ધ્યાનને સમયે જ તે જૂઓને બચાવવા જમીન ઉપરથી વીણ્યા કરવી એ વસ્તુ તેને વિચિત્ર લાગી. તે મૂળ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy