SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ગણાલી પરિવાર ની કરી ગાળ દીક્ષાનાં બીજા છ વર્ષ આખાબોલે તો હતો જ. તેણે કહ્યું કે, “ભાઈ, તું તો તપ કરે છે કે જૂઓ જ વિણા કર્યા કરે છે? મને તે તું તારવી-ધ્યાની નથી લાગતે પણ જુઓને મિજમાન લાગે છે! પરસંપ્રદાયના લાગતા ગોપાલક પિતાની આ રીતે ઠેકડી કરી, એ જોઈ વૈશિકાયનને ખૂબ ગુસ્સો ચડડ્યો. તેણે તરત ગોશાલકને બાળી નાખવા તેલેસ્યા છોડી. સામાન્ય વાતચીતમાંથી આવું દારુણ પરિણામ આવેલું જોઈ મહાવીરે સામી શીતલેશ્યા છોડી, અને ગોશાલકને બચાવી લીધે. પેલે વૈશિકાયન પણ પિતે ગુસ્સામાં આવીને કરી દીધેલા કૃત્યથી જરા પસ્તાતો હતા જ, તેવામાં મહાવીરની દરમ્યાનગિરિથી ગોશાલકને વિનાકારણ વધ થતા અટકો એ જાણી, તે ખુશ થયા, અને મહાવીર પ્રત્યે પિતાની આભારવૃત્તિ પ્રગટ કરવા લાગ્યો. પરંતુ આવા સામાન્ય તાપસને પણ તે જેલેસ્યા પ્રાપ્ત થયેલી જોઈ, ગોશાલકની તે શક્તિ પ્રાપ્ત કરવાની ઇંતેજારી હવે વધી ગઈ. તેથી તેણે તે શક્તિ પ્રાપ્ત કરવાની રીત મહાવીરને પૂછી. મહાવીરે જણાવ્યું કે, માણસ નિયમધારી થઈ હંમેશાં છ ટંકના ઉપવાસ કર્યા કરે. અને તે ઉપવાસનું પારણું પણ એક મૂડી અડદ તથા અંજલિમાત્ર જળથી કરે, તે છ માસને અંતે તેને પ્રબળ તેજોલેસ્યા પ્રાપ્ત થાય. હવે મહાવીર તથા ગોશાલક કૂર્મગ્રામથી નીકળી સિદ્ધાર્થ પુર તરફ પાછા વળ્યા. માર્ગમાં પેલા તલના છેડવાળો પ્રદેશ આવ્યો. ગોશાલકને. તે ખાતરી જ હતી કે, તે છોડ નાશ પા જ હશે, પરંતુ તેને તે હર્યોભર્યો જોઈ તથા તેની શીંગમાં તલના બરાબર સાત દાણું થયેલા જોઈ તે વિસ્મય પામે. તેને હવે મહાવીરની શક્તિમાં પૂરેપૂરો વિશ્વાસ બેસી ગયો. અને તેવી શક્તિઓ પ્રાપ્ત કરવાની ઈંતેજારીથી તથા મહાવીરે બતાવેલી તેજોલેસ્યા સિદ્ધ કરવા ગોશાલક મહાવીરથી છૂટો
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy