SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ મારતાહિક અને તેમાં ઘણું ડહાપણ રહેલું છે. મહાવીર, બુદ્ધ વગેરે સંતપુરુષે પિતાના જીવનકાળ દરમ્યાન પિતાનું ધ્યેય સિદ્ધ કરવા ખાતર જે તીવ્ર તમન્ના, અડગ નિશ્ચય, અને હાડકૂટ પ્રયત્ન દાખવતા દેખાય છે, તેનું જ વર્ણન માત્ર તે આપણને ઉત્તેજિત કરવાને બદલે હતાશ જ વધારે કરે છે. “એટએટલું તપ આપણાથી શી રીતે થાય ?' “એટએટલાં દુઃખ આપણાથી શી રીતે વેઠાય?” પરિણામે સામાન્ય જનસમુદાય તે મહાપુરુષોના સર્વ પુરુષકાર-પ્રયત્નને દૈવી સંપત્તિ ગણું કાઢે છે તેનું અનુકરણ ન થાય, તેની તે સ્તુતિ જ થાય! એટલું જ નહીં, પરંતુ તેમના શારીરિક બાંધાને – અરે તેમના લેહીના રંગને જ સામાન્ય લેકે કરતાં છેક વિલક્ષણ કરાવી, તેમના બધા પ્રયત્નને તેમની શારીરિક અલૌકિકતાનું જ પરિણામ કરાવી દે છે. પરંતુ એ તે વિપરીત પરિણામ જ આવ્યું કહેવાય. તેથી કથાકારો એવા મહાપુરુષોની કથાને પ્રારંભ તેમના પૂર્વભવોની કથાથી કરે છે. જેથી કોઈ પણ સંકોચ વિના તેવા મહાપુરુષોની અપૂર્ણતા, અને તે અપૂર્ણતાઓ ઉપર તેમણે મેળવેલા વિજયની કથાને આ જન્મની તેમની મહત્તાને આંચ આવવા દીધા સિવાય, વિગતે વર્ણવી શકાય. મહાવીર-કથાની શરૂઆત પણ, તેથી, તેમના પૂર્વભવની કથાથી જ થાય છે. છે જેમકે મહાવીરનું લોહી દૂધ જેવું સફેદ હતું એમ માનવામાં આવે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy