SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક ફૂલ ખીલીને તૈયાર થાય છે, ત્યારે તેની રૂ૫-ગુણની સમૃદ્ધિથી આકર્ષાઈને આવનારા પ્રશંસકેની પ્રશંસામાં તેના વર્તમાન લાવણ્યની જ પ્રશંસા હોય છે. પરંતુ અત્યારે ખુલ્લી હવામાં તથા તેજસ્વી પ્રકાશમાં રૂપે રંગે ઓપતા તે ફૂલને તે પહેલાં ભૂતળના કૃષ્ણ અંધકારમાં એકલા જ તૈયાર થતાં શું શું કરવું તથા વેઠવું પડયું છે, તેની કથા ભૂતળના અંધકારમાં જ દબાયેલી રહી જાય છે. તેના દિવ્ય પ્રકાશમય રૂપરંગની પ્રશંસા કરતે કવિ ભાગ્યે તેના મૂળ આગળના કાદવમાં હાથ ખરડવા ઇચ્છે છે. ફૂલની બાબતમાં તેમ કરીએ તે ચાલે પણ ખરું. કારણ કે આપણને તે તેના વર્તમાન રૂપ-ગુણ સાથે જ નિસબત છે. પરંતુ કઈ મહાપુરુષની વર્તમાન વિભૂતિને તે રીતે ગાઈ-સ્તવીને આપણે ચરિતાર્થ નથી થઈ શક્તા. કારણ કે, તે માત્ર “માણવા ની વસ્તુ નથી. ફૂલનાં રૂપ-રંગ આપણને તેની પેઠે “ખીલવા' નથી પ્રેરતાં; પરંતુ મહાપુરુષનું તો માતાઓ જ એ એક વસ્તુમાં રહેલું હોય છે કે, તે આપણને તેમના જેવા મહાન બનવા પ્રેરે છે. આ વસ્તુનું ભાન હેવાથી જ કથાકારે મહાપુરુષોની વર્તમાન વિભૂતિને જ વર્ણવીને સંતુષ્ટ થતા નથી. તે વિભૂતિ આ જન્મમાં તેમણે કેવી રીતે મેળવી એનું વર્ણન જાણે બસ ન લાગતું હોય, તેમ તેઓ તેમના પૂર્વ ભવો પણ વર્ણવે છે; તથા આ જન્મમાં દેખાતી વિભૂતિ, પૂર્વ જન્મના કેટલા બધા સતત તથા ભગીરથ પ્રયત્નથી સિદ્ધ થયેલી છે, તેની કથાથી જ તેઓ આ જન્મની કથા શરૂ કરે છે.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy