SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ માં તમને ઉતાર મળવાન શ્રી મહાવીર કથા ત્યાં તેમણે અનેક હદયદ્રાવક કષ્ટી સમબુદ્ધિથી સહન કર્યા. તે ભૂમિમાં તેમને ઉતારે મળવાના પણ સાંસા પડતા. તે સ્થિતિમાં ખંડેરધરે કે વૃક્ષ તળે જ ધ્યાનસ્થ રહીને મહાવીરે નવમું ચોમાસું પણ વ્યતીત કર્યું. આ બધા પ્રસંગોએ પણ ગોશાલક તેમની સાથે જ હતો, એ યાદ રાખવાનું છે. મહાવીરને મળતાં માનપાન અને વિપુલ ભિક્ષાની લાલચથી જ તે મહાવીર સાથે નહોતે વિચરતે, એ વાતની આ જાણ્યા પછી ભાગ્યે જ ખાતરી થયા વિના રહે. છ માસ પૂરા થયે ત્યાંથી નીકળી મહાવીર ગોશાલક સાથે સિદ્ધાર્થ પુર આવ્યા, અને ત્યાંથી કૂર્મગ્રામ તરફ વળ્યા. માર્ગમાં એક તલને છોડવો જોઈને ગોશાલકે મહાવીરને પૂછયું : “કહે જોઉ, આ તલને છોડવો ફળશે કે નહીં ?” મહાવીરે જવાબ આપે,એ છેડ જરૂર ફળશે. તલના પુષ્પના સાત છવ આ છેડમાં તલની સીંગમાં સાત તલપણે ઉત્પન્ન થશે.” ગોશાલકે પારખું કરવા ખાતર તે તલના છોડને મહાવીર ન જાણે તેમ ઉખાડીને અળગો કર્યો, અને પછી મહાવીર સાથે તે આગળ ચાલ્યો. પરંતુ બનવાકાળ તે એ અરસામાં જ તે પ્રદેશમાં વૃષ્ટિ થઈ, અને પેલા છોડનું મૂળ એક ગાયની ખરી નીચે આવી દબાઈને જમીનમાં પેસતાં, વરસેલા વરસાદના જોરે જમીનમાં ચોટી ગયું! મહાવીર અને ગોશાલક કુર્મગ્રામે પહોંચ્યા. તે વખતે ગામબહાર મધ્યાહ્ન સમયે હાથ ઊંચા કરી વૈશિકાયન નામે એક તાપસ પિતાની લાંબી જટા ફેલાવીને સૂર્યમંડળ સામે દષ્ટિ રાખી સ્થિર ઊભો ઊભો કઠોર તપ કરતો હતો. તેની પૂર્વથા નીચે પ્રમાણે છેઃ ૧. આ જગાએ કથાકાર મહાવીરને મેં એ જ સીધે જવાબ અપાવે છે. પહેલાંની રીત પ્રમાણે પેલા સિદ્ધાર્થવ્યંતરને મહાવીરના શરીરમાં પેસાડીને જવાબ અપાવતા નથી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy