SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજા છ વર્ષ પુરમતાલ નગરમાં વાગુર નામે શેઠ રહેતો હતો. તેને ભદ્રા નામે પ્રિય પત્ની હતી. તે વંધ્યા હતી. સંતાન માટે અનેક દેવતાઓની બાધા રાખી-રાખીને તે થાકી ગઈ હતી. એક વખત ઉદ્યાનક્રીડા કરતાં કરતાં તે મલ્લિનાથના મંદિરમાં આવી તે વખતે સહેજસાજમાં જ તેણે બાધા રાખી કે મને પુત્રપ્રાપ્તિ થશે તો મહિલનાથ તીર્થકરનું ઠાઠમાઠથી પૂજન કરીશ ભાગ્યયોગે ભદ્રાને ગર્ભ રહ્યો અને યથાકાળે પુત્ર જન્મ્યો. શેઠશેઠાણું હવે હર્ષિત થઈ શકટમુખ ઉદ્યાનમાં આવેલા મલ્લિનાથ તીર્થંકરના બિંબને પૂજવા ચાલ્યાં. મહાવીર તે જ ઉદ્યાનમાં ધ્યાનસ્થ થઈને વિરાજ્યા હતા. તેમની તેજસ્વી મૂતિ જોઈ, શેઠશેઠાણીએ તેમને જ પ્રત્યક્ષ તીર્થકર માની પરમ ભક્તિભાવથી તેમનું પૂજન કર્યું અને કહ્યું કે, અમે આવ્યાં હતાં તે તીર્થકરના બિંબનું પૂજન કરવા; પરંતુ અમને તે પુ ગે પ્રત્યક્ષ તીર્થંકર જ મળ્યા એમ અમે માનીએ છીએ. આપનું પૂજન કરવાથી દેવ પણ અમારા ઉપર અત્યંત પ્રસન્ન થશે એમાં શંકા નથી. [આઠમું ચોમાસું] ત્યાંથી નીકળી મહાવીર ઉષ્ણક ગયા. ત્યાંથી ગભૂમિ, અને ત્યાંથી રાજગૃહ. ત્યાં તેમણે ચારમાસી એક આખા ઉપવાસ વડે જ પિતાનું આઠમું ચોમાસું વ્યતીત કર્યું. [નવમું ચેમાસું] મગધદેશના નિરુપદ્રવી તથા પરિચિત જીવનથી કંટાળેલા મહાવીર, ત્યાંથી ફરી પાછા લાઢદેશના વજભૂમિ, શુદ્ધભૂમિ, વગેરે અનાર્ય પ્રદેશમાં વિચરવા નીકળ્યા, અને છ માસ સુધી * કથાકાર તે આ પ્રત્યક્ષ તીર્થંકરની પૂજા મૂકી ગત તીર્થંકરની પૂજા કરવારૂપી શેઠશેઠાણની ભૂલ સુધારવા ઇંદ્રને વચ્ચે લાવે છે. પરંતુ તે વિના પણ આ પ્રસંગ ઉચિત રીતે ઘટી શકે છે. આ પ્રકરણને અંતે આપેલો સુજાતાને દાખલો જુઓ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy