SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં બીજાં છ વર્ષ ૧. શૈશાલક છૂટો પડે છે. [સાતમું માસું] મહાવીર હવે ગોશાલકની સાથે કાંઈક નિરાંતવાળા મગધદેશમાં આઠ માસ વિચર્યા, અને ચોમાસા વખતે આસંબિકા નગરીમાં આવી, ચાર માસને ઉપવાસ કરી તેમણે પોતાનું સાતમું મારું વિતાવ્યું. ત્યાંથી નીકળી તે કુંડક ગામે આવ્યા અને વાસુદેવના મંદિરમાં ઊતર્યા. પછી મદન ગામે જઈ, બળદેવના મંદિરમાં ઊતર્યા. ત્યાંથી તે બહુશાલ ગયા. તે ઠેકાણે તેમના ઉપર થોડેક ત્રાસ ગુજાર્યો લાગે છે; કારણ કે કથાકાર જણાવે છે કે, ત્યાંની શાલાય નામે વ્યંતરીએ વિના કારણે ગુસ્સે થઈ પ્રભુને સારી પેઠે ત્રાસ આપ્યો. પછી પ્રભુ તાર્ગલ ગામે આવ્યા. ત્યાં પરરાજ્યના ભયથી સાવચેત રહેતા કેટવાળાએ તેમને જાસુસ ધારી પકડયા. છેવટે અસ્થિક ગામથી આવેલા ઉત્પલ નિમિત્તશાસ્ત્ર તેમને ઓળખીને છોડાવ્યા. ત્યાંથી વિહાર કરીને મહાવીર પુરિમતાલ નગરે પધાર્યા. અહીં આગળ ભગવાન ઉપર બુદ્ધના જીવનમાં ઘટેલે સુજાતાની ભિક્ષા જેવો રસિક પ્રસંગ આવી પડ્યો. ૧. તેણે મહાવીરનાં સ્વપ્નને અર્થ કહી બતાવ્યું હતું. જુઓ બાગબ પા. ૧૩૩. ૨. જુઓ પ્રકરણને અંતે પરિશિષ્ટ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy