SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી મહાવીર કથા આપેલું અન્ન સ્વીકારતા નથી, પરંતુ વધ્યુંઘટયું માગી આણેલું અન્ન જ સ્વીકારે છે; માગ્યા વિના પિતાની પાસે ઊંચકી આણેલું, કે પિતાને આપવા માટે જ તૈયાર કરેલું અન્ન પણ સ્વીકારતા નથી; કોઈ આમંત્રણ કરે ત્યાં જતા નથી; રાંધેલા વાસણમાં આણેલું અન્ન સ્વીકારતા નથી; ઊંબરાની, લાકડીની કે સાંબેલાની પેલી તરફ ઊભા રહીને આપેલું અન્ન લેતા નથી; સ્ત્રીપુરુષ જમવા બેઠા હોય ત્યારે તેમાંથી એકે ઊઠીને ઊભા થઈ આપેલી ભિક્ષા લેતા નથી; ગર્ભિણી સ્ત્રી, છોકરાને ધવરાવતી સ્ત્રી, અને પુરુષની સાથે એકાંત સેવતી સ્ત્રીની પાસેથી અન્ન લેતા નથી; નેવાં પડતાં હોય એવી જગ્યાએ ઊભા રહીને, કૂતરાની પાસે ઊભા રહીને, કે જ્યાં ઘણું માખીઓ હોય તેવી જગાએ ઊભા રહીને ભિક્ષા લેતા નથી (કારણ કે એમ કરે તો, તે તે જીવને અન્ન મેળવવામાં વિઘ આવે; મસ્ય-માંસ–સુરા વગેરે પદાર્થો ગ્રહણ કરતા નથી; એક જ ઘેર ભિક્ષા માગીને એક જ કેળિયો અન ખાય છે; બે ઘર ભિક્ષા માગીને બે ળિયા ... એમ સાત ઘેર ભિક્ષા માગીને સાત કાળિયા અન્ન ખાય છે; એક પળીથી બે પળીથી.. . . એમ સાત પળીથી નિવાહ ચલાવે છે; એક દિવસે એક વાર, બે દિવસે એક વાર . . . એમ સાત દિવસે એક વાર કે પંદર દિવસે એક વાર જમે છે.” એટલું યાદ રાખવાનું કે ઉપરનું કથન બુદ્ધ આગળ એક જૈન (નિશંકપુર) પંડિત કરે છે. પરંતુ ખુદ જૈન ગ્રંથમાં જ આજીવિકેની આહાર અંગેની કઠોરતા બાબત અનેક ઉલ્લેખ પડયા છે. ઓપપાકિસૂત્રમાં તેમને “બબે ઘર છોડીને ત્રણ ત્રણ ઘર છોડીને ... એમ સાત સાત ઘર છોડીને શિક્ષા લેવાનો નિયમ રાખનારા, તથા ભિક્ષામાં માત્ર કમળદંડ જ લેનારા • • • કહ્યા છે; ઠાકુંગસૂત્ર (૪-૨-૩૧; પૃ. ૨૩૩) તે તેમને આઠ ક વગેરેના ઉપવાસરૂપી ઉગ્ર તપ કરનારા પિતાની જાતનું
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy