SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ પિતાના વિરોધીઓએ આપેલા ઉપનામ વડે જ પિતાના ભક્તો દ્વારા પણ ઉલેખાય એ બનવા સંભવ નથી. બાકી, ક્યા ધર્મ કે સંઘમાં માત્ર પેટ ભરવા સાધુ થયેલા લોકે નથી હોતા? જૈન ઉત્તરાધ્યયનસૂત્રમાં આખું સત્તરમું અધ્યયન, “દુર્લભ એવું સહર્મનું શ્રવણ પ્રાપ્ત કર્યા પછી પણ’ ખાઈ-પીને સુખે સૂવામાં જ વખત ગાળનારા, તથા જ્યોતિષ વગેરેથી આજીવિકા ચલાવનારા પાપી શ્રમણે માટે રોકયું છે. તેથી શું જૈન ધર્મના બધા સાધુ “આજીવિક' ગણી શકાય? એટલે, ઘણાખરા અર્વાચીન વિદ્વાનો ગોશાલકના સંપ્રદાયનું આજીવિક' નામ પડવાનું કારણ એવું બતાવે છે કે, બુદ્ધના અષ્ટાંગિક માર્ગમાં સમ્યફ દૃષ્ટિ, સમ્યફ સંકલ્પ, સમ્યફ વાચા, સમ્યફ કર્મોન (કર્મ), સમ્યફ વ્યાયામ, સમ્યફ સ્મૃતિ, અને સમ્યફ સમાધિની સાથે જે સમ્યફ “આજીવ' ગણાવવામાં આવેલ છે, તે પ્રમાણે આજીવિકાની શુદ્ધિની બાબતમાં કાંઈ વિશિષ્ટ ખ્યાલ ધરાવનાર હોવાથી એ સંપ્રદાય આજીવિક કહેવાતો હશે. વસ્તુતાએ પણ મરિઝમનિકાયના મહાસચ્ચિકસુત્તમાં નિગંઠપુત સચ્ચક આજીવિકાના આચાર વિષે કહેતાં બુદ્ધને જણાવે છે? તેઓ નગ્ન રહે છે; શરીરસંકારાદિ આચારો અનુસરતા નથી; હાથ ઉપર જ ભિક્ષા લઈને નિર્વાહ કરે છે; કેઈ ગૃહસ્થ શિક્ષા માટે કહે છે કે, “આ બેસે, જરા ઊભા રહે’ તેઓ તેનું કહ્યું સાંભળતા નથી – અર્થાત નિમંત્રણ દઈને તૈયાર કરેલું સૂત્રકૃતગ ઉપરની ટીકા તે તે ઐરાશિક, આજીવિક, અને દિગંબર – એ શબ્દોને પર્યાય જ ગણે છે. જુઓ હલાયુધની અભિધાનરત્નમાલ (ઈ. સ. ૯૫૦), તથા જુઓ દક્ષિણ હિંદુસ્તાનના વિરિચિપુર નજીક પેરુમલ મંદિરના લેખે (ઈ. સ. ૧૨૩૮, ૧૨૩૯, ૧૨૪૨, ૧ર૯)
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy