SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા નથી. મહાન અશોકે પિતાની રાજ્ય–કારકીદના તેરમા વર્ષમાં ગયા પાસેની ટેકરીઓના ખડકમાં કોતરી કાઢેલ બે ગુફાઓની દીવાલ ઉપર કોતરાવેલા ટૂંકા શિલાલેખમાં જણાવ્યું છે કે, રાજા પ્રિયદર્શીએ પિતાના રાજ્યના તેરમા વર્ષમાં આ ગુફા આજીવિકોને આપી છે.” અને મહાવંશ-ટીકામાં જણાવ્યા પ્રમાણે તો અશોકની માતા ધમાં રાણીને કુલગુરુ જ જનસાન નામે આજીવિક હતો. બિંદુસારે તેને અશોકના જન્મ પહેલાં રાણીને આવેલા સ્વપ્નનો અર્થ કરવા બોલાવ્યા હતા. વળી દિવ્યાવદાનમાં જણાવ્યું છે કે, બિંદુસારે પોતાના પુત્રોમાંથી કોને ગાદી આપવી એ નક્કી કરવા પિંગલવત્સ નામના આજીવિકને બોલાવ્યો હતો. અશોક પછી ગાદીએ આવેલા “દશરથ મહારાજાએ' પણ ગાદીએ આવ્યા પછી તરત જ “નાગાર્જુની ટેકરી ઉપર ત્રણ કોતરેલી ગુફાએ ચંદ્ર સુરજ તપે ત્યાં સુધી આજીવિકાને નિવાસસ્થાન તરીકે વાપરવા આપતી વખતે તેમને “સંમાન્ય આજીવિકે” તરીકે ઉલેખ્યા છે. આમ એક પછી એક બિંદુસારઅશેક-દશરથ એ ત્રણે એક જ વંશપરંપરાના રાજાઓના અમલ સુધી (અર્થાત ઈ. સ. પૂર્વે બીજી સદીના અંત સુધી) રાજસંપ્રદાય’ જેવું અગત્યને સ્થાન ભોગવતો તે સંપ્રદાય, ૧. પિતાના રાજ્યકાળના ૨૮મા વર્ષ દરમ્યાન કોતરાવેલા સુપ્રસિદ્ધ સાતમા સ્તંભલેખમાં પણ અશેકે પિતાના ધર્માધિકારીઓને બૌદૌ, બ્રાહ્મણ અને નિગ્રંથની પેઠે આજીવિકાની પણ સંભાળ રાખવા જણાવ્યું છે. ૨. છેક વરાહમિહિરના સમયમાં (ઈ. સ. પપ૦ના અરસામાં) પ્રસિદ્ધ એવા સાત ભિક્ષુવર્ગોમાં શાક્ય, નિગ્રંથ, તાપસ, ભિક્ષુ, વૃદ્ધશ્રાવક, અને ચરક સાથે આજીવિક ભિક્ષુઓને વર્ગ પણ સ્થાન પામે છે. અને પછી તો ધીમેધીમે તે શબ્દ દિંગબર જેને માટે જ રૂઢ થઈ જાય છે. અને છેક ૧૩મા સિકા સુધી ચાલ્યો આવે છે, એ પણ અહીં ધ્યાનમાં રાખવું જોઈએ. જુઓ શીલાંકદેવ (ઈ. સ. ૮૭૬)ની
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy