SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા નંખાવેલું, એટલે ગોશાલક તે ઘર ઓળખી શક્યો નહીં. ત્યાંથી નીકળી મહાવીર તથા ગશાલક હવે હલતુત નામે ગામ આવી પહોંચ્યા; તથા હરિદુ વૃક્ષ નીચે ધ્યાનસ્થ થયા. તે અરસામાં વણજારવાળાઓએ ટાઢના ભયથી સળગાવેલા અગ્નિવડે શરૂ થયેલા દાવાગ્નિમાં તે બંને સપડાયા. ગોશાલક વેળાસર ચે, તથા મહાવીરને પણ તેણે વેળાસર ચેતવ્યા. પરંતુ મહાવીર તો ધ્યાન પૂરું થયા વિના ન ખસવાનો નિયમ લઈને ધ્યાનસ્થ થયા હોવાથી વખતસર ઊડ્યા નહીં. દાવાગ્નિથી તેમને બીજી ખાસ ઈજા તે ન થઈ, પણ તેમના બંને ચરણ સ્વામ થઈ ગયા. ત્યાંથી નીકળી બંને જણ મંગલ નામે ગામ આવ્યા, અને ત્યાં વાસુદેવના મંદિરમાં ઊતર્યા. પછી તે આવર્ત ગામે ગયા, અને ત્યાંના બળદેવ-મંદિરમાં ઊતર્યો. એ ગામના લેકે તરફથી મહાવીર તથા ગોશાલકને મારપીટ થઈ હોય તેમ લાગે છે. - ત્યાંથી નીકળી તેઓ ચોરાક ગામે આવ્યા. ઉપવાસ હોવાથી ત્યાંથી ભિક્ષા માગ્યા વિના ભગવાન કલંબુનાગામે પધાર્યા. ત્યાંના પર્વતપ્રદેશના રક્ષક તરીકે કાલહસ્તી અને મેઘ નામે બે ભાઈઓ કામ કરતા હતા. સેન્સ લઈ ચેર પછવાડે નીકળેલા કાલહસ્તીએ મહાવીર તથા ગોશાલકને ચોર માની પકડ્યા, અને પોતાના ભાઈ મેઘને સોંપ્યા. પરંતુ મેઘ મહાવીરના પિતા સિદ્ધાર્થનો મેળાપી હતો, એટલે તેણે મહાવીરને ઓળખી કાઢ્યા, અને છોડી મૂક્યા. ૧. થાકાર ઉમેરે છે કે, ગોશાલકે દીધેલી મહાવીરના તપસ્ટેજની આથી ત્યારબાદ એ આખો લત્તો બળી ગયો. ૨. અલબત્ત, પછી તે કથાકારનો વ્યંતર બળરામની પ્રતિમામ પેસી તે પ્રતિમાના હાથમાંનું હળ ઊંચકી દે, એટલે કે ભાગ્યા જ !
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy