SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ આ જ. એટલામાં પાસેના કેલ્લાક ગામમાં બહુલ નામના બ્રાહ્મણને ત્યાં મહાવીરને મળેલા ભિક્ષાસકારની વાત જાણવામાં આવતાં તે કલાક જઈ પહોંચ્યો. મહાવીર પાસે જઈ તેણે પિતાને મળેલી ભિક્ષાની વાત કહી સંભળાવી, તથા ચાતુર્માસ બાદની મુસાફરીમાં પણ તેમની સાથે જ રહેવાને પોતાને નિર્ણય જાહેર કર્યો. મહાવીરે તેની તે વાત મંજૂર રાખી. ગોશાલક અને મહાવીરના સહજીવનની કથામાં આગળ વધતા પહેલાં એક વાત અહીં નાંધતા જવાની જરૂર છે. કોણ જાણે કેમ, તે સહવાસની કથામાં કથાકારેને હાથે મહાવીરની ચમત્કાર કરવાની શકિતઓનું ચિત્રણ આવશ્યક હોય તેથી વધારે ઘેરે રંગ પામે છે; અને તેથી તે બધી વિગતે મહાવીર-કથામાં વારંવાર આવી આપણું મન સામે એક વિશિષ્ટ કલ્પનાચિત્ર ખડું કરે છે. અલબત્ત, બારીકાઈથી તપાસીએ તો કથાકારેએ મહાવીરની એ ચમત્કાર કરવાની શક્તિઓના પરિણામે મહાવીરને લાભને બદલે હાનિ જ વધારે થતી ચીતરી છે. અત્યાર અગાઉના એક-બે પ્રસંગેથી વાચક પરિચિત છે જ, અને ભવિષ્યમાં પણ ગોશાલકને તેજોલેસ્યા સિદ્ધ કરવાની રીત શીખવવાને પરિણામે મહાવીરને તથા તેમના શિષ્યોને મારણાંતિક આફત વેઠવાની આવવાની છે. ૧. મહાવીરના જ સમકાલીન બુદ્ધના જીવનમાં ચમારની શક્તિનું આ પાસે હયાત નથી, એ એક વસ્તુ અહીં યાદ કરવા જેવી ગણાય. કેવદ્ધ નામને એક માણસ બુદ્ધ પાસે આવી આવીને તેમને વારંવાર આગ્રહ કરે છે કે, તમે કાંઈ ચમત્કાર કરી બતાવે, તે આખું શહેર તમારા સંપ્રદાયમાં જોડાશે. ત્યારે બુદ્ધ માત્ર એટલે જ જવાબ આપે છે કે, “હું ગમે તેવા પાપી તથા મૂઢ લેને મહાવ્રતના માર્ગ ઉપર લાવી કલ્યાણુભાગી કરું છું. તે પાછો મેટો ચમત્કાર છે? તેટલે ચમત્કાર બસ ન હોય, તે બીજા ચમત્કાર કરીને મારે લોકોને આકર્ષવા નથી.”
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy