SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર કથા [ ત્રીજું ચોમાસું] અસ્તુ. કલ્લાકમાં ગોશાલકને સહચારી તરીકે સ્વીકારી, મહાવીર સુવર્ણખલ તરફ ચાલ્યા. માર્ગમાં કેટલાક ગાવાળિયાઓ ક્ષીર રાંધતા હતા. ગોશાલકને ભૂખ લાગી હતી; આથી તેણે મહાવીરને વિનંતી કરી કે, ચાલો આપણે આ ગોવાળિયાઓ પાસે ખીર માગીએ. ત્યારે તેને જવાબ મળ્યો કે, એ ખીર માગવી વ્યર્થ છે, કારણ કે એ ખીર બનવાની જ નથી. ગોશાલકને આ સાંભળી મહાવીરના શબ્દોની ખાતરી કરવાનું મન થયું. તેણે જઈને પેલા ગોવાળિયાઓને ચેતવ્યા કે, “આ ત્રિકાલજ્ઞ સાધુ એમ કહે છે કે, આ ખીર પૂરી રંધાવાની નથી, કારણકે અધવચ જ તેનું પાત્ર ફૂટી જવાથી તે ઢોળાઈ જવાની છે.” આ સાંભળી ગવાળાએ વાંસની ખપાટ વગેરે બાંધીને હાંડીને સુરક્ષિત કરી લીધી; પરંતુ બન્યું એવું કે હાંડીમાં ચોખા પ્રમાણુથી વધારે પડેલા, એટલે તે કૂલતાં હાંડી ફાટી ગઈ મહાવીર તથા ગોશાલક પછી આગળ ચાલ્યા અને બ્રાહ્મણગ્રામ આવ્યા. ત્યાં ચમત્કારને બીજો એક પ્રસંગ બન્યો અને મહાવીરની ચમત્કાર કરવાની શક્તિ તરફના ગોશાલકના આકર્ષણમાં વધારે થયો. વાત એમ બની કે, તે ગામમાં નંદ અને ઉપનંદ એ બે ભાઈના બે મુખ્ય મહોલ્લા હતા. મહાવીર નંદના મહેલામાં નંદને ત્યાં ભિક્ષા માગવા ગયા અને ગોપાલક મહા તામસી પ્રકૃતિના ઉપનંદના મહોલ્લામાં ઉપનંદને ત્યાં ભિક્ષા માગવા ગયે. મહાવીરને નંદે વાસી અન્નની ભિક્ષા આપી. ઉપનંદે ગોશાલકને ઊતરી ગયેલો વાસી ભાત અપાવ્યું. આખાબોલા ગોશાલકે એ બાબત ઉપનંદ સાથે તકરાર કરતાં ઉપનંદે દુષ્ટ બુદ્ધિથી તે ભાત ગાશાલકના માથા ઉપર જ નખાવ્યા. આથી ગોશાલક ચિડાયો. અને તેણે કહ્યું કે, મહાવીરના તપના તેજની આણથી કહું છું કે, આ દુષ્ટનું ઘર બળી જાઓ! અને બન્યું પણ તેમજ.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy