SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ દીક્ષાના પ્રથમ છ વર્ષ ૧૪૭ એકદંડી તાપસેના [મસ્કરિન] સંપ્રદાયને સાધુ હતો. તે સાધુઓના “પરમહંસ' વર્ગના સાધુઓ દંડ- ભિક્ષાપાત્ર–અને કટીબંધન એ ત્રણે વસ્તુઓનો ત્યાગ કરીને વિચરે છે. ગોશાલક મહાવીરને મળ્યો ત્યારે તે પરમહંસ દશાના સાધુની પેઠે વસ્ત્રરહિત દશામાં વિચરતો હતો, કે મહાવીરના સંસર્ગમાં આવીને નિર્વસ્ત્ર બન્યો હતો, એ કહેવું કઠણ છે. પરંતુ ચાતુર્માસ દરમ્યાન એક જ સ્થળે કરેલા લાંબા નિવાસ દરમ્યાન સાથે રહેવા બાદ, તેઓ બંને બીજા છ વર્ષ સુધી સાથે રહેવા જેટલા એક બીજાથી આકર્ષાયા એટલું નક્કી છે. મહાવીરે તે ચેમાસા દરમ્યાન મહિના–મહિનાના ઉપવાસ સ્વીકાર્યા હતા. જિન મંથકારો લખે છે કે, તે દીર્ધ ઉપવાસેના પારણા વખતે લાગલગટ ત્રણ પ્રસંગે નાલંદાના ગૃહસ્થા દ્વારા પરમ ભક્તિ તથા સત્કારપૂર્વક તેમને જે વિપુલ ભિક્ષા મળી, તે ઉપરથી ખેંચાઈને ગોશાલક મહાવીરનો શિષ્ય થવા લલચા. જો કે તે કથન સ્વીકારી લેવા જેવું લાગતું નથી. કારણ કે, આગળ આપણે જોઈશું તેમ, મહાવીર શરૂઆતમાં સામાન્ય રીતે લાંબા લાંબા ઉપવાસે જ કર્યા કરતા, અને ચોમાસામાં તે મહિના–મહિનાના, બબ્બે મહિનાના, અને ચાર ચાર મહિનાના ઉપવાસ પણ કરતા. ઉપરાંત મ્લેચ્છ લકેના પ્રદેશમાં મહાવીર દુઃખ સહન કરવા ખાતર જ મહિનાઓ સુધી બે વાર વિચર્યા, ત્યારે પણ ગોશાલક તેમને સાથ છોડી ગયો નહોતો. એટલે આજીવિકા માટે જ ગોશાલક મહાવીરના અનુય યી થયે એમ કહેવું નિરર્થક છે. મહાવીરની કેાઈ બીજી વિભૂતિથી કે તેમના માહાથી આકર્ષાઈને જ તે તેમની સાથે દુઃખ-સુખે પણ રહેવા તૈયાર થયો, એમ જ કહેવું યોગ્ય છે. તે વિષે વધુ ૧. પહેલા પારણું વખતે વિજય શેઠને ત્યાં, બીજા વખતે આનંદ નામના ગૃહસ્થને ત્યાં, અને ત્રીજા વખતે સુનંદ ગૃહસ્થને ત્યાં.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy