SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ શ્રી મહાવીર કથા આ સ્થળે તેમને એક એવા પુરુષની સેબત થઈ કે જે તેમના જીવનમાં આગળ બહુ લાંબો તથા અગત્યનો ભાગ ભજવવાને હતો – અરે એક વખત તો તેમને લગભગ મેતના મુખમાં જ ધકેલી મૂકવાનો હતો. તે પુરુષ તે મંખલપુર ગોશાલક.૧ મહાવીરની પેઠે તે પણ ચાતુર્માસ કરવાને નિમિત્તે તે જ ડહેલામાં ઊતર્યો હતો. જૈનગ્રંથમાં આવતી કેટલીક ગણતરીઓ ઉપરથી સૂચિત થાય છે કે, ગોશાલક મહાવીરને મળ્યો તે અરસામાં નવો જ સાધુ થયું હતું. તે ૧. ગોશાલકના નામને અર્થ વગેરે કેટલાક મુદાઓ બાબત જુઓ આ પ્રકરણને અંતે પરિશિષ્ટ. ૨. ભગવતીસૂત્રમાં જણાવ્યા પ્રમાણે ગોશાલકે કુલ ૨૪ વર્ષનું સાધુજીવન ગાળ્યું હતું, અને તેના છેલ્લા ૨૪ મા વર્ષમાં મહાવીર સાથે તેને મારણાંતિક ઝધડે થયે, અને ત્યારબાદ સાત રાતમાં તે મરણ પામ્યો. તેની પછી મહાવીર ૧૬ વર્ષ વધુ જીવ્યા. ગાલાલના ૨૪ વર્ષના સાધુજીવનમાંથી તેના કહેવા મુજબ આઠ વર્ષ તેણે છાસ્થ (એટલે કે સાધક તરીકે માન્યાં હતાં, અને ૧૬ વર્ષ જિન તરીકે હવે, મહાવીરના કુલ ૭૨ વર્ષના જીવનમાંથી તેમણે ૩૦ વર્ષ ગૃહસ્થ તરીકે, ૧૨ વર્ષ છવસ્થ તરીકે, અને ૩૦ વર્ષ જિન તરીકે માન્યાં હતાં. મહાવીરે સાધુપણું સ્વીકાર્યા બાદ બીજે વર્ષે ગોશાલક તેમને મળ્યો હતો અને છ વર્ષ તેમની સાથે રહ્યો હતો. એ વાત ધ્યાનમાં રાખતા ગણતરી આ પ્રમાણે થાય છે? મહાવીરે ઘર છોડયું ૩૦ વર્ષ ગોશાલકને મળ્યા ગોશાલક સાથે રહ્યા ગોશાલકે જિન થતા પહેલાં એકલાં ગાજ્યાં ૨ વર્ષ ગોશાલકે જિન તરીકે માન્યાં મહાવીર ચાલક બાદ જીવ્યા ૧૬ વર્ષ ૭૨ વર્ષ
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy