SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૩ દીક્ષાનાં પ્રથમ છ વર્ષ એ બે નાગકુમારોની કથા આ પ્રમાણે છે: મથુરામાં જિનદાસ નામનો વેપારી સાધદાસી નામની પોતાની સ્ત્રી સાથે રહેતો હતો. તેઓએ પોતાના કોઈ કામ માટે ઢોરઢાંખ ન પાળવાનો નિયમ લીધે હતો. તેથી તેઓ ભેળસેળ વિનાનું ખાતરીબંધ દૂધ-દહીં આપતી એક ગોવાળણી પાસેથી તે બધું ખરીદતાં. વખત જતાં તે ગોવાળને ને સાધુદાસીને બહેનપણ જે સંબંધ થઈ ગયો. એક વખત તે ગોવાળને ઘેર વિવાહનો પ્રસંગ આવતાં શેઠશેઠાણીએ પોતાને ત્યાંથી વસ્ત્ર, અલંકાર, ધન-ધાન્ય વગેરે પુષ્કળ પદાર્થો મેકલી આપ્યા. આથી પેલી ગોવાળણુને ત્યાં આવેલા ગોવાળમાં તેની શોભા સારી થઈ. ઉત્સવ પતી ગયા બાદ, ખુશ થયેલાં ગોવાળ-ગોવાળણ ત્રણ વર્ષની વયના પોતાના હષ્ટપુષ્ટ કંબલ અને સંબલ નામના બે બળદો લઈને શેઠને આપવા આવ્યાં, તથા શેઠે ના પાડવા છતાં તમને બારણે બાંધી ચાલ્યાં ગયાં. જિનદાસે વિચાર્યું કે, જે હું આ બળદે છોડી મૂકીશ, તે બીજા ગમે તે લોકો તેમને હળ વગેરે સાથે જોડીને દુખી કરશે. અને આ મૂર્ખ ગોવાળ-ગોવાળણી તો તેમને પાછા લેશે જ નહિ. તે પછી નિર્દોષ ઘાસ-પાનથી આ બળદનું પિષણ કરવાનું જ મારે માટે બાકી રહે છે. અને તેણે તેમજ કરવા માંડયું. તે બળદો એટલા જાતવાન હતા કે, શેઠની સર્વ ધાર્મિક પ્રક્રિયાઓ ધ્યાનથી લક્ષમાં રાખતા. શેઠ જ્યારે અષ્ટમી કે ચતુર્દશીએ ઉપવાસ કરે, ત્યારે તે બળદ પણ કશું ઘાસ-પાન ખાય-પીવે નહીં. શેઠ તેમની આ ભદ્રિક વૃત્તિ જોઈ તેમના ઉપર પ્રસન્ન રહેતા, તથા તેઓ સમજે કે ન સમજે તો પણ તેમના કાનમાં ધર્મામૃતનું સૂચન કરતા. એક વખત તે નગરીમાં ભંડારવણી નામના યક્ષની યાત્રાનો ઉત્સવ આવ્યો. તે વખતે ગામના જુવાને વાહનક્રડાની શરતો રમતા. તે ગામમાં જિનદાસને એક કૌતુકી મિત્ર રહેતા ૧. “ભડીર’, યક્ષ-ગુણચંદ્રગણું.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy