SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રી મહાવીર કથા રાજાઓએ ભગવાનનું પૂજન કર્યું. પછી ભગવાન સુરભિપુર પહોંચ્યા. ત્યાંથી આગળ તેમને મહાનદી ગંગા ઓળંગવાની આવી. બીજા લોકોની સાથે મહાવીર પણ સિદ્ધદંત નામના નાવિકની નાવમાં બેઠા. નાવ ચાલવા માંડી તે વખતે કાંઠા ઉપર એક ઘૂવડ બેલ્યું. તે સાંભળી તે નાવમાં બેઠેલા ક્ષેમિલ નામના શકુન શાસ્ત્રીએ કહ્યું કે, થોડા સમયમાં આપણે કેાઈ મરણઘાંટીમાં જરૂર સપડાઇશું. થયું પણ તેમજ. નાવ ઊંડા જળમાં આવતાં જ અચાનક કોઈ ભયંકર મહાપવન ફૂંકાવા લાગ્યો, અને ગંગાનાં નીર હિલોળે ચડવા માંડયાં. પિલી નાવ આમ તેમ ઝોકાં ખાવા લાગી. સઢનો ડાલ (કૂવા-સ્તંભ) તડતડાટ કરતો તૂટી ગયે, સઢનાં ચીંથરે ચીંથરાં ઊડી ગયાં, અને સૌ મુસાફરો વ્યાકુળ ચિત્ત પોતપોતાના ઇષ્ટદેવને સંભારવા લાગ્યા. સંતપુરુષને પ્રભાવ મૂઢ પ્રાણુઓ ઉપર પડે, તો આજુબાજુની તેટલી જ સજીવ પ્રકૃતિ ઉપર પણ પડે, એ વસ્તુ સ્વીકારતાં બીજે કશે વાંધો આવે તેમ નથી. કોણ જાણે આજુબાજુના મુસાફરોના કલ્પાંતથી દ્રવીભૂત થયેલા મહાવીરના સંક૯પને પ્રભાવ પડળ્યો કે શું, પરંતુ એ ભયંકર તોફાનમાંથી નાવ હેમખેમ સામે પાર પહોંચી છે. ગઈ જ. અને બધા આ પ્રસંગને યશ મહાવીરને જ અર્પવા લાગ્યા. કહેવાની જરૂર નથી કે, આ બનાવ તે સ્થળના લોકોની સ્મૃતિમાં જડાઈ ગયે અને આવા પ્રસંગે ભેગા કરનાર કથાકારના હાથમાં આવતાં એક જુદી કથા રૂપે જ મહાવીરચરિત્રમાં સંઘરાઈ ગયા. કથાકારે તે બનાવને આ પ્રમાણે રજૂ કર્યો છે : મહાવીર પેલી હોડીમાં બેઠા કે તરત જ પૂર્વવર યાદ કરનારા પેલા સુદંષ્ટ્ર નાગકુમારે એકદમ આ ભયંકર તોફાન પિતાની શક્તિથી ઊભું કર્યું. પરંતુ ત્યાંના સંબલ કંબલ નામે બીજા બે સદ્ભાવી નાગકુમારોએ તેને ડાર્યો, અને તેને ભગાડી મૂકી, નાવને હેમખેમ સામે પાર પહોંચાડી દીધી.
SR No.004947
Book TitleMahavira Katha
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, & Canon
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy